Corona Update: કોરોનાના 44 હજારથી વધુ નવા કેસ નોંધાયા, એક દિવસમાં 738 લોકોના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 44,111 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: કોરોનાના 44 હજારથી વધુ નવા કેસ નોંધાયા, એક દિવસમાં 738 લોકોના મોત

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા 44 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 738 લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ નવા 46,617 કેસ નોંધાયા હતા અને એક દિવસમાં 853 લોકોના મોત થયા હતા. 

એક દિવસમાં 44 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 44,111 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,05,02,362 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4,95,533 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 57,477 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,05,779 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

Total cases: 3,05,02,362
Total recoveries: 2,96,05,779
Active cases: 4,95,533
Death toll: 4,01,050

Total Vaccination: 34,46,11,291 pic.twitter.com/Gm7PcjWXSm

— ANI (@ANI) July 3, 2021

24 કલાકમાં 738 દર્દીઓના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 738 દર્દીઓના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,01,050 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં વેક્સીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 34,46,11,291 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news