નવરાત્રિમાં આ 11 કામ ભૂલેચૂકે ન કરતા...નહીં તો પસ્તાવાનો વારો આવશે 

નવરાત્રિમાં આ 11 કામ ભૂલેચૂકે ન કરતા...નહીં તો પસ્તાવાનો વારો આવશે 

નવરાત્રિના પવિત્ર અવસરે દેવી ભગવતીની ધરતી પર પધરામણી થઈ ગઈ છે. ભક્તો તેમની આરાધનામાં લાગ્યા છે. નવરાત્રિનો સમય ખુબ જ શુભ અને મનોકામના પૂર્ણ કરનારો ગણાય છે. પરંતુ દેવીને પ્રસન્ન કરવા માટે તમારે પૂજાપાઠ સાથે કેટલીક સાવધાનીઓ પણ વર્તવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન એવા કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન થાય. 

નવરાત્રિ દરમિયાન આ કાર્યો ભૂલેચૂકે ન કરવા...

- નવરાત્રિમાં નવ દિવસનું વ્રત રાખનારા લોકોએ દાઢી મૂંછ, વાળ, નખ કાપવા જોઈએ નહીં. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું ખુબ શુભ હોય છે. 
- નવરાત્રિમાં નાની બાળકીઓ સાથે કારણ વગર મારપીટ કરવી જોઈએ નહીં. 
- નારીશક્તિનું સન્માન કરો, અશ્લિલતા બિલકુલ ન કરવી.
- જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યા છો કે અખંડ જ્યોતિ પ્રગટાવો છો તો આ દિવસે ઘર ખાલી રાખવું નહીં. 
- કારણ વગર ઝઘડા ન કરવા, અપશબ્દો ન બોલવા.
- તામસી ભોજન ન કરવું જોઈએ, ખાવામાં ડુંગળી, લસણ અને માંસાહાર બિલકુલ ન કરવો જોઈએ. 
- વ્રત રાખનારા લોકોએ ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, જૂતા-ચપ્પલ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 
- વ્રત રાખનારા લોકોએ નવ દિવસ સુધી લીંબુ ન કાપવા જોઈએ.
- કારણ વગર પોાતની શક્તિના વખાણ ન કરો, વાંરવાર કોઈને ન જણાવો કે હું કઈ પણ ખાધા પીધા વગર કે અન્ય રીતે ઉપવાસ કરું છું. 
- જે સ્થળે તમે ધ્યાન કે ઉપાસના કરી રહ્યા હોવ, બહારની વ્યક્તિઓને તે સ્થળથી દૂર રાખો, પવિત્રતા જાળવો.
- કોઈની ટીકા કે બુરાઈ ન કરો.
- વ્રતમાં નવ દિસ સુધી ખાવામાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. 
- ખાવામાં સાબુદાણા, સિંધવ મીઠુ, બટાકા, સૂકો મેવો, મગફળી વગેરેનું સેવન કરવું જોઈએ

(દેવી ભાગવતમાંથી સંકલિત)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news