દેવેન્દ્ર ફડણવીસના આરોપોના જવાબમાં નવાબ મલિકે ફોડ્યો 'હાઈડ્રોજન બોમ્બ', જાણો શું કહ્યું?

ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. નવાબ મલિકે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા.

દેવેન્દ્ર ફડણવીસના આરોપોના જવાબમાં નવાબ મલિકે ફોડ્યો 'હાઈડ્રોજન બોમ્બ', જાણો શું કહ્યું?

મુંબઈ: ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. નવાબ મલિકે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના 'આશીર્વાદ'થી મહારાષ્ટ્રમાં ખંડણી અને નકલી નોટોનો કારોબાર ચાલુ હતો. તેમણે સમીર વાનખેડેનો પણ ફરીથી ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ અધિકારી (વાનખેડે)ને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે તે તેમની નીકટનો છે. 

નવાબ મલિકે લગાવ્યો આ આરોપ
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી કરાઈ હતી. દેશભરમાં નકલી નોટ પકડાવવા લાગ્યા હતા પરંતુ 8 ઓક્ટોબર 2017 સુધી મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો કેસ સામે આવ્યો નહતો. કારણ કે દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટનો ખેલ મહારાષ્ટ્રમાં ચાલતો હતો. તેમણે કહ્યું કે 8 ઓક્ટોબર 2017ના રોજ એક દરોડો પડ્યો જેમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટો પકડાઈ. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે મામલો રફેદફે કરાવ્યો હતો. તેમાં ઈમરાન આલમ શેખ, રિયાઝ શેખને પકડ્યા હતા. પરંતુ બાદમાં તે જપ્તીને 8 લાખ 80 હજાર રૂપિયા બતાવીને દબાવવામાં આવી. 

તેના ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે મામલામાં આરોપીને ગણતરીના સમયમાં જામીન કેવી રીતે મળી ગયા? મામલો NIA ને કેમ ન અપાયો. આ નોટ ક્યાંથી આવી હતી તે પણ ખબર ન પડી  કારણ કે તત્કાલીન સરકારનું સંરક્ષણ હતું. મલિકે કહ્યું કે ઈમરાન આલમ શેખ અલ્પસંખ્યક કમીશનના ચેરમેન હાજી અરબાઝ શેખનો નાનો  ભાઈ હતો. કહેવાય છે કે હાજી અરબાઝને પક્ષપલટો કરાવીને દેવેન્દ્ર ફડણવીસે ચેરમેન બનાવ્યો હતો. 

— ANI (@ANI) November 10, 2021

રિયાઝ ભાટીનો પણ કર્યો ઉલ્લેખ
મલિકે વધુમાં કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જણાવે કે રિયાઝ ભાટી કોણ છે, નકલી પાસપોર્ટ સાથે પકડાયો હતો. તેના પર દાઉદ ઈબ્રાહિમ વગેરે સાથે સંબંધની ખબરો છે. ડબલ પાસપોરટ્ સાથે વ્યક્તિ પકડાય અને બે દિવસમાં છૂટી જાય છે. તે ભાજપના કાર્યક્રમોમાં કેમ દેખાતો હતો. તમારા ડિનર ટેબલની આજુબાજુ કેવી રીતે જોવા મળ્યો. દેશના પીએમના કાર્યક્રમમાં તે કેવી રીતે પહોંચી ગયો, પીએમ સાથે તસવીરો કેવી રીતે પડાવી? 

— ANI (@ANI) November 10, 2021

નવાબ મલિકે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ જ્યારે સીએમ હતા ત્યારે અંડરવર્લ્ડ સંલગ્ન લોકો, ક્રિમિનલ લોકોને સરકારી કમીશન, બોર્ડમાં જગ્યા આપી. મલિકે કહ્યું કે મુન્ના યાદવ નામની વ્યક્તિ જે નાગપુરનો ગુંડો છે, જેના પર હત્યાથી લઈને તમામ પ્રકારના કેસ નોંધાયેલા છે, તેને પોતાના કન્સ્ટ્રક્શન બોર્ડનો અધ્યક્ષ બનાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે હૈદર આઝમ નામના નેતાને ફડણવીસે ફાઈનાન્સ કોર્પોરેશનનો અધ્યક્ષ બનાવ્યો હતો. જ્યારે તે બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં વસાવવાનું કામ કરે છે. તેની બીજી પત્ની બાંગ્લાદેશી છે. જેની મલાડ પોલીસ તપાસ કરી રહી હતી. કહેવાય છે કે જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સીએમ ઓફિસથી ફોન આવ્યો હતો, અને ત્યારબાદ મામલો દબાવવામાં આવ્યો. 

— ANI_HindiNews (@AHindinews) November 10, 2021

શું કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસે?
અત્રે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનનો ખુલાસો કર્યો. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બે નામ ગણાવ્યાં જેમાં સરદાર શાહવલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરાયો. તેમણે કહ્યું કે સરદાર શાહવલીને 1993 બ્લાસ્ટ મામલે આજીવન કેદની સજા થઈ. તે હજુ પણ જેલમાં છે. બોમ્બ વિસ્ફોટની તેને જાણકારી હતી. ગાડીઓની અંદર વિસ્ફોટકો ભરનારા લોકોમાં પણ તે સામેલ હતો. તેણે ટાઈગર મેમણને સહયોગ  કર્યો હતો.  આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગર પાલિકામાં બોમ્બ  ક્યાં રાખવાના છે તેની રેકી કરી હતી. તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં RDX લોડ કરાવ્યો હતો. 

બીજા વ્યક્તિ મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'તે દાઉદ ઈબ્રાહિમનો માણસ હતો. ફડણવીસે તેને હસીના પારકરનો ડ્રાઈવર, બોડીગાર્ડ ગણાવ્યો. પૂર્વ સીએમએ કહ્યું કે હસીના પારકર જ્યારે 2007માં અરેસ્ટ થઈ તો સલીમ પટેલ પણ અરેસ્ટ થયો હતો. રેકોર્ડથી જાણવા મળ્યું કે દાઉદના ફરાર થયા બાદ હસીનાના નામથી સંપત્તિઓ ભેગી થતી હતી. તેમાં સલીમનો રોલ મહત્વનો હતો. સંપત્તિઓની પાવર અટોર્ની તેના નામે લેવાતી હતી. આ સલીમ પટેલ હસીનાના તમામ બિઝનેસ (જમીન કબજા)નો પ્રમુખ હતો.'

દેવેન્દ્ર ફડણવીસે જમીન સૌદાનો કર્યો ઉલ્લેખ
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે કુર્લામાં એક 3 એકર જગ્યા છે. તેને ગોવાવાલા કમ્પાઉન્ડ કહે છે. આ જગ્યા LBS રોડ પર છે. જે ખુબ મોંઘો વિસ્તાર છે. આ જમીનની એક રજિસ્ટ્રી સોલિડસ નામની કંપનીના નામે થઈ જે નવાબ મલિકના પરિવારની છે. ફડણવીસે કહ્યું કે તેનું વેચાણ સરદાર શાહ વલીખાન અને સલીમ પટેલે કરી હતી. જમીન સોલિડસ કંપનીને વેચવામાં આવી. આરોપ લગાવવામાં આવ્યો કે આ કંપની નવાબ મલિકના પરિવારની છે. જેનો માલિક ફરાઝ મલિક છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું કે જમીનની કિંમત ખુબ વધુ હતી આમ છતાં તેને 30 લાખમાં ખરીદવામાં આવી જેમાંથી ફક્ત 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા. 

આગળ ફડણવીસે પૂછ્યું કે નવાબ મલિક જણાવે કે જ્યારે ડીલ સમયે (2005) તેઓ મંત્રી હતા તો ડીલ કેવી રીતે થઈ? મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે આ દોષિતો પર તે સમયે ટાડા લાગ્યો હતો. કાયદા મુજબ ટાડાના દોષિતોની સંપત્તિ સરકાર જપ્ત કરી લે છે. શું ટાડાના આરોપીની જમીન જપ્ત ન થાય, એટલે તે તમને ટ્રાન્સફર કરવામાં આવી?

હું હાઈડ્રોજન બોમ્બ ફોડીશ- નવાબ મલિક
દેવેન્દ્ર ફડણવીસના આરોપોના જવાબમાં નવાબ મલિકે પણ જવાબ આપતા કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે સત્યને રાઈનો પહાડ બનાવીને રજુ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દિવાળી બાદ બોમ્બ ફોડીશ. બોમ્બ તો ફૂટ્યો નહીં પરંતુ હવે કાલે 10 વાગે હું અંડરવર્લ્ડનો હાઈડ્રોજન બોમ્બ ફોડીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news