કંઇ મોટુ થવાના સંકેતો! અનેક અલગતાવાદી નેતાઓની ધરપકડ, સેનાની 100 કંપની ફરજંદ

પુલવામા હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સનાં 40 જવાનો શહીદ થયા બાદ હવે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સ્થિતી ઝડપથી બદલાઇ ગઇ છે

કંઇ મોટુ થવાના સંકેતો! અનેક અલગતાવાદી નેતાઓની ધરપકડ, સેનાની 100 કંપની ફરજંદ

નવી દિલ્હી : શું પુલવામા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં મોટી નિર્ણાયક કાર્યવાહી કરવાની છે ? ગત્ત 24 કલાકમાં જે ઝડપથી પરિસ્થિતી બદલાઇ છે તેના પુરતા સંકેતો મળવા લાગ્યા છે. સમગ્ર ખીણમાં અલગતાવાદી નેતાઓ પર મોટી કાર્યવાહી કરતા યાસીન મલિક સહિત જમાત એ ઇસ્લામીના લગભગ બે ડઝન નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ખીણમાં સુરક્ષા વ્યવસ્થા છેલ્લા ત્રણ દશકમાં સૌથી મોટી કાર્યવાહીની પહેલ કરવામાં આવી છે. 

પરિસ્થિતીનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધું કે પરિસ્થિતી નાજુક છે અને ભારત કંઇક મોટુ કરવા અંગે વિચારી રહ્યા છે. જો કે અમેરિકા, ચીન સહિત અનેક દેશોએ તણાવ ઘટે તેવા પ્રયાસો કરવા માટે દેશોનો સંપર્ક સાધ્યો છે. 

કલમ 35એ અંગે સરકાર આકરુ સ્ટેન્ડ લેવા માટે તૈયાર
સુત્રો અનુસાર મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા કલમ 35 એ અંગે આકરૂ પગલું ઉઠાવી શકે છે. આગામી અઠવાડીયે સુનવણી થઇ શકે છે જેમાં આ કલમની યોગ્યતા અંગે સવાલ ઉઠાવાઇ ચુક્યા છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું કે, તેને આ કલમનો વિરોધ નથી અને કલમ 370ની મુળ અવધારણામાં તે નહોતી.  ઉલ્લેખનીય છે કે, કલમ 35એ હેઠળ જમ્મુ કાશ્મીરમાં ત્યાનાં મુળ નિવાસીઓ ઉપરાંત દેશનાં કોઇ હિસ્સાનો વ્યક્તિ ત્યાં સંપત્તી ખરીદી શકે નહી. જેના કારણે તે ત્યાંનો નાગરિક પણ બની શકે નહી.સુત્રોના અનુસાર 35એ અંગે સરકાર અધ્યાદેશ પણ લાવી શકે છે. 1954માં આ કલમને 370 હેઠળ અપાયેલા અધિકારો અંતર્ગત જ જોડવામાં આવ્યા હતા. કલમ 370 હટાવવું ભાજપનું હંમેશાથી સ્ટેન્ડ પણ રહ્યું છે. જો કે ભાજપની સહયોગી જેડીયુ અને અકાલી દળ તેનો વિરોધ કરતું રહ્યું છે. 

સમગ્ર કાશ્મીર હાઇએલર્ટ પર
સુત્રો અનુસાર સમગ્ર કાશ્મીરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. હાલના વર્ષોની સૌથી અભુતપુર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં તત્કાલ પ્રભાવથી કેન્દ્રીય સશસ્ત્ર ફોર્સ (CAPF)ની 100 વધારાની કંપનીઓને ફરજંદ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં 45 સીઆરપીએફ, 35 બીએસએફ, 10 એસએશબી અને 10 આઇટીબીપીની કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. 

જવાનોની રજાઓ પણ રદ્દ
સામાન્ય રીતે એક કંપનીમાં સૈનિકોની સંખ્યા 100થી 120 સુધીની હોય છે. તેમને તુરંત જ કાશ્મીર કુચ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કાશ્મીરમાં રહેલા તમામ જવાનો રજા રદ્દ કરી દેવામાં આવી છે. સુત્રો અનુસાર રિઝર્વ સૈનિકોને શક્ય તેટલું ઝડપી કુચ કરવા માટે જણાવાયું છે. તમામ જવાનોની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાંતોનાં અનુસાર 100 કંપનીઓને ત્યાં મોકલવા અભુતપુર્વ છે અને તેવું ક્યારેક ક્યારેક થાય છે. 

તેમણે કહ્યું કે, તેના પરથી લાગે છે કે દુર્ભાગ્યવશ પરિસ્થિતી સારી નથી. પુલવામા આતંકવાદી હુમલા બાદ ગાર્ડની ભુમિકામાં લાગેલી સીઆરપીએફ ઉપરાંત આ કામમાં બીએસએફ, આિટીબીપીને પણ લગાવ્યા છે. અધિકારીઓનાં અનુસાર જો કે મોટા ભાગનાં જવાનોને લો એન્ડ ઓર્ડરની ડ્યુટીમાં લગાવવામાં આવ્યા છે તેમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. 

જરૂરી સામાનનો સ્ટોક કરવા માટેનો નિર્દેશ
નાજુક સ્થિતીને જોતા જમ્મુ કાશ્મીર તંત્રએ સામાન્ય લોકોને કોઇ પણ પ્રકારની સમસ્યા ન થાય, તેના માટે દવાઓ અને જરૂરી રેશનનો પુરતો સ્ટોક કરવા માટે કહ્યું છે. તેના માટે સ્થાનીક તંત્રની તરફથી નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે. બીજી તરફ ગુપ્તચર એજન્સીઓના અનુસાર સમગ્ર ખીણમાં અફવા ફેલાવીને પણ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. સરકારે ગુપ્તચર એજન્સીઓને સતર્ક રહેતા સુરક્ષા દળો સાથે સતત સંપર્કમાં રહેવા માટે જણાવ્યું છે. 
બીજી તરફ કુટનીતિક સ્તર અંગે પણ ભારતનો પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ ચાલુ છે. મુસ્લિમ બહુમતી દેશનાં શક્તિશાળી સંગઠન OIC વિદેશ મંત્રીના ઉદ્ધાટન સત્રમાં ભારતને આમંત્રીત કરવામાં આવ્યું છે અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આવતા મહિને અબુધાબીમાં તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેશે. 

ક્યાં કોને ફરજંદ કરાયા.
LoC પર સેનાના જવાનો
ઇન્ટરનેશનલ બોર્ડર પર બીએસએફનાં જવાનો
જમ્મુ કાશ્મીર અંદર-સીઆરપીએફનાં જવાનો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news