આખરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની અધૂરી રહી ગઈ આ ઈચ્છા...

બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ આજે એટલે કે 30મી એપ્રિલના રોજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યાં. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કરી અને અનંતની યાત્રાએ નિકળી પડ્યાં. સમગ્ર દેશ આ સમાચારથી આઘાતમાં છે. 70ના દાયકાના શાનદાર અભિનેતા ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યાં. સપ્ટેમ્બરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ કરાવીને ઋષિ કપૂર જ્યારે અમેરિકાથી પાછા ફર્યા તો બધાને લાગ્યું કે તેઓ ઠીક છે. પરંતુ કોને ખબર કે આ સિતારો હવે અસ્ત થવાનો છે. ઋષિ કપૂરે પોતાની કેરિયરમાં અનેક સફળતાઓ મેળવી પરંતુ અંગત જીવનમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સારવાર કરાવીને જ્યારે ઋષિ કપૂર પાછા ફર્યા તો લાગ્યુ હતું કે તેમનું આ અધૂરું સપનું હવે પૂરું થશે. પરંતુ લોકડાઉને આખો ખેલ બગાડી નાખ્યો. ઋષિ કપૂરનું આ સપનું શું હતું તે જાણીએ. 
આખરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની અધૂરી રહી ગઈ આ ઈચ્છા...

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ આજે એટલે કે 30મી એપ્રિલના રોજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યાં. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કરી અને અનંતની યાત્રાએ નિકળી પડ્યાં. સમગ્ર દેશ આ સમાચારથી આઘાતમાં છે. 70ના દાયકાના શાનદાર અભિનેતા ઋષિ કપૂર આ દુનિયા છોડીને જતા રહ્યાં. સપ્ટેમ્બરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ કરાવીને ઋષિ કપૂર જ્યારે અમેરિકાથી પાછા ફર્યા તો બધાને લાગ્યું કે તેઓ ઠીક છે. પરંતુ કોને ખબર કે આ સિતારો હવે અસ્ત થવાનો છે. ઋષિ કપૂરે પોતાની કેરિયરમાં અનેક સફળતાઓ મેળવી પરંતુ અંગત જીવનમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. સારવાર કરાવીને જ્યારે ઋષિ કપૂર પાછા ફર્યા તો લાગ્યુ હતું કે તેમનું આ અધૂરું સપનું હવે પૂરું થશે. પરંતુ લોકડાઉને આખો ખેલ બગાડી નાખ્યો. ઋષિ કપૂરનું આ સપનું શું હતું તે જાણીએ. 

પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માંગતા હતાં
વાત જાણે એમ છે કે ઋષિ કપૂર ઈચ્છતા હતાં કે તેમની હયાતીમાં પુત્ર રણબીર કપૂરના લગ્ન થઈ જાય. અનેકવાર એવા અહેવાલો પણ આવ્યાં કે રણબીરના લગ્નની તારીખ નક્કી થવાની છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગના કારણે લગ્નની ડેટ આગળ વધતી ગઈ અને પછી તો કોરોના સંકટના કારણે દેશભરમાં લોકડાઉન થઈ ગયું. 

જુઓ LIVE TV

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઋષિ કપૂરે પોતાની થનારી વહુ આલિયા ભટ્ટ સાથે અનેકવાર મુલાકાત કરી હતી. સાથે ડિનર પણ કર્યું, બસ પુત્રને ઘોડે ચડતો જોવા અને આલિયાને દુલ્હનના જોડામાં જોવાનું રહી ગયું. ઋષિ કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં એકવાર કહ્યું હતું કે પુત્રના લગ્ન જોવાનું બસ રહી ગયુ છે. પિતા ઋષિ કપૂરનું આ સપનું પૂરું ન કરી શકવાનો અફસોસ રણબીર કપૂરને જરૂર થતો હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news