Mumbai Airport પર શિવસેનાના કાર્યકરોએ મચાવ્યો હંગામો, Adani Group નું સાઈન બોર્ડ પણ તોડી નાખ્યું

શિવસેનાના કાર્યકરોએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુબ હંગામો મચાવ્યો અને તોડફોડ કરી.

Mumbai Airport પર શિવસેનાના કાર્યકરોએ મચાવ્યો હંગામો, Adani Group નું સાઈન બોર્ડ પણ તોડી નાખ્યું

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુબ હંગામો મચાવ્યો અને તોડફોડ કરી. ગૌતમ અદાણીના અદાણી જૂથને મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની કમાન મળ્યા બાદ અદાણીના નામનું બોર્ડ લાગવાનું હતું પરંતુ શિવ સૈનિકોએ વિરોધ કરી બોર્ડ હટાવી દીધું.

શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ
મુંબઈ એરપોર્ટના કલિના વિસ્તારમાં વીઆઈપી ગેટ પર અદાણી એરપોર્ટ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડ પર છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન હોવાથી શિવસૈનિકો નારાજ હતા. 

અદાણી ગ્રુપે સંભાળી મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની કમાન
અત્રે જણાવવાનું કે અદાણી ગ્રુપે થોડા દિવસ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કમાન પોતાના હાથમાં લીધી હતી. જેના મેનેજમેન્ટની કમાન પહેલા જીવીકે ગ્રુપ પાસે હતી. અદાણી સમૂહે ગત વર્ષ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારી ટેકઓવર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news