છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા

છત્તીસગઢના નારાયણપુરમાં દર્દનાક ગોળીકાંડની ઘટના સામે આવી છે. અહીં સુરક્ષાબળના એક જવાને પોતાના જ સાથી જવાનો પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 5 જવાન અને ગોળી ચલાવનાર આરોપી જવાન સહિત 6ના મોત નિપજ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 2 જવાન ગંભીર રીતે ઘાયલ છે.

છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા

રાયપુર: છત્તીસગઢના નારાયણપુરમાં દર્દનાક ગોળીકાંડની ઘટના સામે આવી છે. અહીં સુરક્ષાબળના એક જવાને પોતાના જ સાથી જવાનો પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 5 જવાન અને ગોળી ચલાવનાર આરોપી જવાન સહિત 6ના મોત નિપજ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીકાંડમાં 2 જવાન ગંભીર રીતે ઘાયલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જવાનો આઇટીબીપીના હતા. 

બસ્તર આઇજીએ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે. નારાયણપુરના પોલીસ કમિશ્નરનું કહેવું છે કે આઇટીબીપી જવાનો વચ્ચે પરસ્પર થયેલી ફાયરિંગના લીધે 6 જવાનોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ આ ગોળીકાંડમાં બે જવાનોને ગંભીર ઇજા પહોંચતાં ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોની સારવાર ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે બધા જવાનોની લાશ રાયપુર લઇ જવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news