અખિલેશ યાદવને મળવા પહોંચ્યા ચંદ્રશેખર આઝાદ; UP ની રાજનીતિમાં મોટા ઉલટફેરના સંકેત

થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે. જે સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યાનથ ઉમેદવારી ફોર્મ ભરશે, તેજ સીટ પર ચંદ્રશેખર આઝાદ તેમને પડકારશે.

અખિલેશ યાદવને મળવા પહોંચ્યા ચંદ્રશેખર આઝાદ; UP ની રાજનીતિમાં મોટા ઉલટફેરના સંકેત

લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના ચીફ ચંદ્રશેખર આઝાદ આજે (શુક્રવારે) સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે. જે સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યાનથ ઉમેદવારી ફોર્મ ભરશે, તેજ સીટ પર ચંદ્રશેખર આઝાદ તેમને પડકારશે.

તમારી જાતને બવ સ્માર્ટ સમજો છો? તો જણાવો તસવીરમાં કેટલા બતક છે? 99% લોકો થયા છે ફેલ 

જાણી લો કે પશ્ચિમ યુપીના બિજનૌર અને સહારનપુર જિલ્લામાં આઝાદ સમાજ પાર્ટીનું વર્ચસ્વ માનવામાં આવે છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખર આઝાદ આજે અખિલેશ યાદવને મળી શકે છે અને સમાજવાદી પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીના ગઠબંધન અંગે વાત કરી શકે છે. આ સિવાય તેઓ અયોધ્યાથી સીએમ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવા અંગે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news