કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? લગ્નના 9 દિવસ બાદ થઈ ગઈ હતી વિધવા

પહેલાં અતીકના પુત્ર અસદનું એનકાઉન્ટર અને પછી બે દિવસ બાદ અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડે 18 વર્ષ જૂના ઘટનાક્રમની યાદ અપાવી દીધી. 

કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? લગ્નના 9 દિવસ બાદ થઈ ગઈ હતી વિધવા

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં 40 વર્ષથી આતંક મચાવનાર માફિયા અતીકનો હવે અંત આવ્યો છે. ત્રણ દિવસમાં અતીકના પરિવારે માટીના ત્રણ ટુકડા ગુમાવ્યા. પહેલા અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર અને પછી બે દિવસ પછી અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. શનિવારે મોડી રાત્રે થયેલા આ હત્યાકાંડે લગભગ 18 વર્ષ જૂની ઘટનાની યાદ અપાવી દીધી. અતીકના પરિવારની આ હાલત એક મહિલાના શ્રાપને કારણે થઈ છે.  આ મહિલા બીજું કોઈ નહીં પણ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની પત્ની પૂજા પાલ છે. પૂજા પાલના શ્રાપની વાત એ સમયની છે જ્યારે અતીક અહેમદ 2004માં પ્રયાગરાજથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.

આ દરમિયાન પ્રયાગરાજ પશ્ચિમની વિધાનસભા બેઠક પણ ખાલી પડી હતી. 2005માં જ્યારે આ સીટ પર પેટાચૂંટણી થઈ ત્યારે અતીકે તેના ભાઈ અશરફને મેદાનમાં ઉતાર્યા. રાજુ પાલે બીએસપીની ટિકિટ પર અશરફની સામે ચૂંટણી લડી હતી. આ તે સમયગાળો હતો જ્યારે અતીક પરિવારને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. રાજુ પાલ વિધાનસભાની ચૂંટણી જીત્યા. ધારાસભ્ય બન્યાના થોડા દિવસો બાદ રાજુ પાલે પૂજા પાલ સાથે લગ્ન કરી લીધા. ધારાસભ્ય બન્યા બાદ તત્કાલ રાજુ પાલના લગ્ન થયા અને આ ખુશી અતીકનો પરિવાર પચાવી શક્યો નગીં. અતીક અહેમદે રાજુ પાલને ખતમ કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. અતીકે રાજુ પાલને મારવા માટે અશરફને લગાવ્યો હતો. 

રાજુ પાલ પર ગોળીઓનો વરસાદ
25 જાન્યુઆરી, 2005ના રોજ રાજુ પાલ ધુમાનગંજમાં ચારેય બાજુથી ગોળીઓથી ઘેરાઈ ગયો હતો. રાજુ પાલને પીછો કરીને તેના પર ફાયરિંગ કર્યું હતું. પ્રયાગરાજમાં થયેલા આ જઘન્ય હત્યાકાંડથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. જ્યારે તેના પતિની જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારે પૂજા પાલના હાથમાં મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો. લગ્નના નવ દિવસ પછી રાજુ પાલની હત્યાના કારણે પૂજા પાલે અતીક અને તેના પરિવારને શ્રાપ આપ્યો હતો. અતીકના પરિવારમાં કોઈએ વિચાર્યું નહોતું કે પૂજા પાલનો શ્રાપ માફિયાના પરિવાર પર આટલો ભારે પડશે.

પૂજા પાલે રડતા રડતા કહ્યું હતું કે અતીક અને તેના સાગરિતોએ મારા પતિ સાથે જે કર્યું છે, એક દિવસ ભગવાન તેમને તેમના કૃત્યોની સજા આપશે અને તે આ રીતે તે સમાપ્ત થશે. લગભગ 18 વર્ષ પછી કંઈક આવું જ થયું. ત્રણ દિવસમાં અતીકના પરિવારનું નામ અને નિશાન ભૂંસાઈ ગયું. બે સગીર પુત્રો જેલમાં છે. પત્ની શાઇસ્તા ફરાર છે. બે દિવસ પહેલા પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું, તેના બે દિવસ પછી, જ્યારે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે અતીક અને અશરફ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સેકન્ડોમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. અતીક અને અશરફના મૃત્યુ પર મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા પૂજા પાલે કહ્યું છે કે વ્યક્તિ જેમ કરે છે તેમ ચૂકવે છે. તેમણે કહ્યું, ઈતિહાસ પુનરાવર્તિત થાય છે અને માણસના કર્મોનું ફળ આ પૃથ્વી પર મળે છે.

રાજુ પાલની હત્યા બાદ પૂજા પાલે સંભાળ્યો હતો પતિનો વારસો
પતિ રાજુ પાલની હત્યા બાદ તેની પત્ની પૂજા પાલે તેનો વારસો સંભાળ્યો. રાજુ પાલના હત્યા બાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. થોડા દિવસો બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન પૂજા પાલને બીએસપીની ટિકિટ પર અશરફ સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેનો પરાજય થયો હતો. 2007માં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં પૂજા પાલ પહેલીવાર BSPની ટિકિટ પરથી જીત્યા. આ પછી 2012ની વિધાનસભા ચૂંટણીમાં પૂજા પાલે અપના દળમાંથી ઉભા રહેલા અતિક અહેમદને હરાવ્યા હતા. જાન્યુઆરી 2018 માં, બસપાએ અનુશાસનહીનતાના આરોપમાં ગડેરિયા સમુદાયમાંથી આવતી પૂજા પાલને હાંકી કાઢી હતી. તેમની વચ્ચે ભાજપમાં જોડાવાની પણ ચર્ચા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news