શું તમને પણ સવારે ઉઠીને સૌથી પહેલા ફોન યુઝ કરવાની આદત છે? તો આજથી જ બદલી નાખજો નહીંતર..

આજકાલ લોકો પોતાનો ફોન તેમની બાજુમાં અથવા તકિયા પર રાખીને સૂઈ જાય છે. જેના કારણે ઘણું નુકસાન થાય છે. કારણ કે મોબાઈલમાંથી રેડિએશન નીકળે છે જે કેન્સર સહિત અનેક ખતરનાક રોગોનું કારણ બની શકે છે.

શું તમને પણ સવારે ઉઠીને સૌથી પહેલા ફોન યુઝ કરવાની આદત છે? તો આજથી જ બદલી નાખજો નહીંતર..

આજના યુગમાં ફોન શરીરનું આવશ્યક અંગ બની ગયું છે. દરેક વ્યક્તિ તેને દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જવા લાગ્યો છે. લોકો જ્યારે વોશરૂમ જાય છે ત્યારે પણ ફોન વગર જતા નથી. જમતી વખતે, સૂતી વખતે, ન્હાતી વખતે, ફરતી વખતે, ફોન દરેક સમયે લોકોની જરૂરિયાત બની ગયો છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે. ઘણા લોકો સવારે ઉઠે ત્યારે સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ કરે છે. કેટલાક એવા પણ છે જે સવારે ઉઠીને બેડ પર કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું જ કરો છો તો તમારી આ આદતને સુધારી લેજો. કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી.

આજકાલ લોકો પોતાનો ફોન તેમની બાજુમાં અથવા તકિયા પર રાખીને સૂઈ જાય છે. જેના કારણે ઘણું નુકસાન થાય છે. કારણ કે મોબાઈલમાંથી રેડિએશન નીકળે છે જે કેન્સર સહિત અનેક ખતરનાક રોગોનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા ફોનનો ઉપયોગ કરવાની ભૂલ કેમ ન કરવી જોઈએ.

સવારે ઉઠ્યા પછી તરત ફોન કેમ ન વાપરવો જોઈએ?

તણાવ વધે 
ઘણા લોકો 8-9 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારે તણાવ અનુભવે છે. વાસ્તવમાં તેની પાછળનું કારણ તમારો ફોન છે. જ્યારે તમે સવારે ફોન ખોલો છો, ત્યારે તેમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જે તમને ચિંતા કે ટેન્શનમાં મૂકી દે છે. આના કારણે નકારાત્મકતા વધવા લાગે છે, જેના કારણે તમે તણાવ અનુભવો છો.

પ્રોડક્ટિવિટીમાં ઘટાડો
તમને ઘણી વાર લાગ્યું હશે કે ફ્રેશ હોવા છતાં તમને કામ કરવાનું મન થતું નથી. અને પ્રોડક્ટિવિટી પણ ઘટવા લાગે છે. સવારે ઉઠીને ફોનનો ઉપયોગ કરવાને કારણે પણ આવું થાય છે. કારણ કે તમારી અડધી ઉર્જા તેમાં જાય છે.

માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર
જ્યારે તમે સવારે ઉઠીને ફોન ખોલો છો, તો ઘણી વખત તમને કેટલાક નકારાત્મક અને નફરતભર્યા મેસેજ વાંચવા મળે છે, જેના કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

માથાનો દુખાવો
આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. સવારે ઉઠીને કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો અને ભારેપણું થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચો:
માત્ર 3 દિવસમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે ધૂળ ચટાડી, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ
શનિ દેવને કરવા હોય ઝડપથી પ્રસન્ન તો શનિવારે પહેરો આ રંગના કપડા, શુભ રહેશે શનિવાર

આગામી 7 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news