Astro Tips: પીળા અને સફેદ જ નહીં કાળા ચોખા પણ બદલી શકે છે ભાગ્ય, અચૂક ટોટકાથી દુર થશે દરેક સમસ્યા

Black Rice Remedies: ચોખા વિના કોઈપણ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. મોટાભાગે પૂજા કરવામાં સફેદ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સફેદ ચોખા સિવાય કાળા ચોખાના ઉપયોગથી પણ કેટલાક ટોટકામાં કરવામાં આવે છે. આ ટોટકા કરવાથી  જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કાળા ચોખાના આવા ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દુર કરી શકે છે.

Astro Tips: પીળા અને સફેદ જ નહીં કાળા ચોખા પણ બદલી શકે છે ભાગ્ય, અચૂક ટોટકાથી દુર થશે દરેક સમસ્યા

Black Rice Remedies: ચોખા અલગ અલગ પ્રકારના મળે છે. ચોખાનો ઉપયોગ ભાત સહિતની વાનગીઓ માટે સૌથી વધુ થાય છે. આ સિવાય ચોખાનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. જ્યોતિષમાં ચોથાને અક્ષત કહેવાય છે. ચોખાને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ચોખાનો ઉપયોગ ભગવાનની પૂજા સહિત કોઈપણ શુભ કાર્યમાં થાય છે. 

ચોખા વિના કોઈપણ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. મોટાભાગે પૂજા કરવામાં સફેદ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સફેદ ચોખા સિવાય કાળા ચોખાના ઉપયોગથી પણ કેટલાક ટોટકામાં કરવામાં આવે છે. આ ટોટકા કરવાથી  જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કાળા ચોખાના આવા ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દુર કરી શકે છે.

આ પણ વાંચો:

કાળા ચોખા ઉપાયો

1. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે તો એક સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને સોમવારે માતા કાલીના ચરણોમાં અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવન ખુશીઓથી ભરેલું રહે છે.

2. જો તમને નોકરીમાં કે વેપારમાં સફળતા નથી મળી રહી. અથવા નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિવારે શનિ મંદિરમાં જઈ શનિદેવને સરસવના તેલમાં કાળા ચોખા ઉમેરી અર્પણ કરો. આ સાથે શનિ મંત્રનો જાપ કરો. 
 
3. વિવાહિત જીવનમાં સુખ અને સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો પીપળાના ઝાડમાં પાણીમાં અર્પણ કરો અને તેમાં કાળા ચોખા ઉમેરો. આ સિવાય શનિવારે તેલના કાળા ચોખા ઉમેરી પીપળાના ઝાડ નીચે દીવો પ્રજ્વલિત કરો. આમ કરવાથી જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે.

4. જો તમારું કોઈ કામ ઘણા દિવસોથી અટકેલું હોય તો તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો જેમાં તે ઉડતા હોય સાથે જ કાળા ચોખાની પોટલી બનાવીને હનુમાનજીની તસવીર પાછળ લગાવો. આમ કરવાથી તમારું કામ કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ થશે.

5. જો તમે ઘરમાં કોઈ ઘણા દિવસોથી બીમાર હોય તો પાણીમાં દૂધ અને કાળા ચોખા મિક્સ કરી સોમવારે શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી તમને જલ્દી જ બીમારીથી છુટકારો મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news