Budhwar Ka Upay: બુધવારે આ ઉપાયથી બદલાઈ જશે તમારી દુનિયા! બધા વિધ્નો દૂર કરશે વિધ્નહર્તા

Budhwar Ka Upay: ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે કરવામાં આવતા અનેક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જો બુધવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા મળી શકે છે. માન્યતા અનુસાર બુધવારે વિધ્નહર્તા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

Budhwar Ka Upay: બુધવારે આ ઉપાયથી બદલાઈ જશે તમારી દુનિયા! બધા વિધ્નો દૂર કરશે વિધ્નહર્તા

Budhwar Ka Upay: આજે જાન્યુઆરી મહિનાનો ચોથો બુધવાર અને વર્ષ 2023ના માઘ મહિનાનો ત્રીજો બુધવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર, બુધવાર ખાસ કરીને માતા પાર્વતીના મોટા પુત્ર ભોલે ભંડારી અને ભગવાન ગણેશને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીના આશીર્વાદથી કોઈપણ કાર્યમાં અડચણ આવતી નથી અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી જોઈએ. ગણેશજીપ્રથમ પૂજનીય દેવતા છે. એટલા માટે તેમને યાદ કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવતું નથી. એવી માન્યતા છે કે સાચા મનથી તેમની પૂજા કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ માત્ર ધ્યાન કરવાથી દૂર થઈ જાય છે. આ કારણથી કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા શ્રી ગણેશજીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે કરવામાં આવતા અનેક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જો બુધવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા મળી શકે છે. માન્યતા અનુસાર બુધવારે વિધ્નહર્તા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. નારદ પુરાણમાં ભગવાન ગણેશના આ 12 નામનો બુધવારે સવાર-સાંજ 108 વાર જાપ કરવાથી તમામ અવરોધોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન શ્રી ગણેશના આ બાર નામોનું ધ્યાન કરવાથી ભગવાન ગૌરી નંદન ગણેશ પોતાના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે જો તમારે ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તમારા ઘરમાં જ ગણેશજીની પૂજા નિયમ પ્રમાણે કરો અને તેમના બાર નામનો 108 વાર જાપ કરો.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

'ગં હન ક્લાઉં ગ્લૌં ઉચ્ચિષ્ટગણેશાય મહાયક્ષાયમ બલિહ' અથવા 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી બને છે. નારદ પુરાણ અનુસાર ગણેશના 12 નામ છે - સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. આવી સ્થિતિમાં આજે અમે તમને ગણેશજીના કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમે પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરશો. જો તમે તમારી બધી બાધાઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો બુધવારે આ ઉપાયો અજમાવો.

બુધવારના ઉપાય-

1) બુધવારે ગણેશજીના મંદિરના દર્શન કરો.
2) શ્રી ગણેશને લીલી દૂર્વા અર્પણ કરો.
3) દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો.
4) બુધવારે ગણેશજીને સિંદૂર અર્પણ કરો.
5) ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
6) 7 બુધવાર સુધી ગણેશ મંદિરમાં ગોળ ચડાવો, તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે.
7) મહેનતનું પૂર્ણ ફળ મેળવવા અને વિઘ્નો દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો.
8) ગણેશજીને મગના લાડુ અર્પણ કરો અને તમામ પ્રકારની પરીક્ષાઓમાં પાસ થવાની પ્રાર્થના કરો.

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી. ઝી24કલાક આની પુષ્ટી કરતું નથી.)

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news