સોમનાથ મંદિરનું સિક્રેટ : બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે મંદિર, જાણો કેમ

Somnath Temple : ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રીઓને મળે છે પરમ શીતળતાનો અનુભવ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં પ્રસરાવી રહ્યું છે ઠંડક

સોમનાથ મંદિરનું સિક્રેટ : બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે મંદિર, જાણો કેમ

Gujarat Tourism કૌશલ જોશી/સોમનાથ : ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે સાથે ધોમધગતો તડકો જાણે કે સૂર્ય આગ વરસાવી રહેલ છે. ત્યારે વેકેશનનો લાભ લેવા લોકો પર્યટનમાં તો નીકળે છે. ખાસ કરીને લોકો ગુજરાતના ધાર્મિક સ્થળો પર ફરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ગરમીને કારણે તેઓની મજા ફિક્કી થાય છે. પણ આ ઉનાળાના રણમાં શીતળતાની અમીવર્ષા થઈ રહી છે સોમનાથમાં. ભગવાન મહાદેવનું આ ધામ હાલ કોઈ હિમાયલથી ઓછું નથી લાગી રહ્યુ. ભક્તોને અહી શીતળતાનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ બહાર ગમે તેટલી ગરમી હોય, પરંતુ સોમનાથ મંદિર હાલ ભક્તોને અંદરથી હિમાલય જેવુ ઠંડુ લાગી રહ્યું છે. 

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર દેશ વિદેશના ભક્તો માટે પરમ દર્શનીય સ્થાન છે. સોમનાથ આવનારા ભક્તો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સોમનાથ મહાદેવની દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. સાથે જ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ એલ સર્ક્યુલેશન વ્યવસ્થાને કારણે ભક્તો અહીં અદ્વિતીય શીતળતા પણ પ્રાપ્ત કરે છે. સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ ઉભી કરાઈ છે. જેથી સોમનાથ મંદિરની બહાર ભલે ગમે તેટલું તાપમાન હોય, પરંતું બહારના તાપમાન કરતા અંદર મંદિરનું તાપમાન સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે. સાથે જ મંદિરના તમામ નિકાસ દ્વાર પર એર કરટેન દ્વારા અંદરની હવા બહાર ન જાય અને શીતળ વાતાવરણ બન્યું રહે તે પણ આયોજન કરવામાં આવ્યું છે.

ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રીઓને પરમ શીતળતાનો અનુભવ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં ઠંડક પ્રસરાવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા બહારના તાપમાનથી મંદિરનુ તાપમામ 6 થી 7 ડિગ્રી ઠંડુ રહે છે. વાતાવરણમાં દૂષિત વાયુ છોડનાર AC નહિ, પરંતુ વિજ્ઞાનના નિયમોના ઉત્તમ ઉપયોગથી કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ મંદિરને ઠંડુ કરે છે. કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા સોમનાથ મંદિરમાંથી બહાર નીકળવાની ભક્તોને ઈચ્છા નથી થતી. 

સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શનમાં LIfE એટલે કે લાઈફ સ્ટાઈલ ફોર ઇન્વાયરમેન્ટની દિશામાં કામ કરે છે. સોમનાથ મંદિર એન્વાયરમેન્ટલ ડિસ્ચાર્જ પર 0 પર પહોંચ્યું છે. મંદિરની અંદર સામાન્ય એર કન્ડિશનર ઉપયોગ કરીને પણ ઠંડક મેળવી શકાઈ હોત, પરંતુ વાતાવરણની અંદર દૂષિત વાયુ છોડતા એર કન્ડિશનરનો ઉપયોગ ટાળીને સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓને ઠંડક મળે છે. પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ થાય તે માટે ચિંતન કરીને કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ લગાવ્યું છે. જેનો લાભ આવનાર શ્રદ્ધાળુઓને મળી રહ્યો છે.

દેશ વિદેશમાંથી આવનાર ભક્તો બપોરની ગરમી વચ્ચે મંદિરની અદભુત શીતળતાનો અનુભવ કરી પ્રસન્નતા વ્યક્ત કરે છે. સાથે જ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આવી અદભુત વ્યવસ્થા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news