યોગનિદ્રામાં લીન ભગવાન આજે પડખું ફેરવશે! જાણો આજના દિવસનું શું છે મહત્વ? ગમે તેવા પાપ નાશ પામે છે...

ભાદરવા સુદ એકાદશીને જલઝીલણી એકાદશી કહેવાય છે, આ દિવસે ભગવાન પડખું ફેરવે છે એટલે પાર્શ્વવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીએ ભગવાનને જળવિહાર પણ કરાવવામાં આવે છે.

 યોગનિદ્રામાં લીન ભગવાન આજે પડખું ફેરવશે! જાણો આજના દિવસનું શું છે મહત્વ? ગમે તેવા પાપ નાશ પામે છે...

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં કુમકુમ મંદિર ખાતે જલઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી છે. સાધુ પ્રેમવત્સલદાસજી મહારાજ જણાવે છે કે જલઝીલણી એકાદશીના દિવસે ભગવાનને જળવિહાર કરાવવામાં આવે છે. 

તારીખ ૧૪-૯-૨૦ર૪ ને શનિવારના રોજ જલઝીલણી એકાદશી હોવાથી સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - મંદિર કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભાદરવા સુદ એકાદશીને જલઝીલણી એકાદશી કહેવાય છે, આ દિવસે ભગવાન પડખું ફેરવે છે એટલે પાર્શ્વવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીએ ભગવાનને જળવિહાર પણ કરાવવામાં આવે છે.

આ એકાદશી કરવાથી માણસ માત્રના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. આ એકાદશી નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. દરેક એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.

એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ખાવું જ ના જોઈએ. એકાદશી કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને જમાડવાનું ફળ પ્રાપ્ત થાય છે તેવો એકાદશી વ્રતનો મહિમા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news