Vastu Tips Clove: લવિંગના આ ઉપાયથી સુધરી જશે ભવિષ્ય, ઘણી થશે પ્રગતિ, આજે જ અજમાવો આ ઉપાય

Vastu Tips Clove: લવિંગનો ઉપયોગ હંમેશા જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાયો માટે કરવામાં આવે છે. શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રમાં લવિંગના ઉપયોગથી તમે તમારા કરિયરની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો અને ઘણી પ્રગતિ કરી શકો છો.

Vastu Tips Clove: લવિંગના આ ઉપાયથી સુધરી જશે ભવિષ્ય, ઘણી થશે પ્રગતિ, આજે જ અજમાવો આ ઉપાય

Vastu Tips Clove: લવિંગનો ઉપયોગ હંમેશા જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાયો માટે કરવામાં આવે છે. શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રમાં લવિંગના ઉપયોગથી તમે તમારા કરિયરની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો અને ઘણી પ્રગતિ કરી શકો છો.

જો ઘરમાં કોઈ બીમાર રહે છે અથવા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થાય છે, તો આ બધું ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંકેત છે. આ સ્થિતિમાં 7-8 લવિંગને તવી પર સેકી લો આ સેકેલા લવિંગને ઘરના કોઈ પણ ખૂણામાં રાખવાથી ફાયદો થશે.

મહેનત કરવા છતા નથી થતો લાભ?
જો ઘણા પ્રયત્નો પછી પણ તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ નથી મળતું તેવું લાગતું હોય તો એક પાનમાં સોપારી, લવિંગ અને ઈલાયચી મુકી આ પાન ગણેશજીને અર્પણ કરો અને પ્રાર્થના કરો. મહેનત કર્યા બાદ પણ આર્થિક સ્થિતિ દૂર ના થતી હોય તો 7 કાળા મરચા અને લવિંગના પોતાના માથા પરથી ફેરવીને એવી જગ્યાએ ફેંકવું કે જ્યાં કોઈ આવતું જતું ન હોય. 

ઘરમાં થાય છે ઝઘડા તો આ ઉપાય કરો
જો તમારા ઘરમાં ખૂબ ઝઘડા થાય છે. તો શનિવારે લવિંગને કપૂર સાથે બાળી દો અને પછી તે ઘરના મુખ્ય દ્વાર પર મુકી દો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સુખ શાંતિ આવશે. ઘરના મંદિરમાં સવારે ભગવાનની આરતી કરતી વખતે દીવામાં બે લવિંગ મૂકીને આરતી કરો. આમ કરવાથી તમારા ઘર શાંતી રહેશે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.

(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે, જેની Zee24kalak પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news