શુક્ર કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ; આ 3 રાશિવાળાને મોજે દરિયા, આવકના નવા સ્ત્રોત ખુલશે, છપ્પરફાડ લાભ થશે!

સુખ અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 13 ઓક્ટોબરે તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિઓને મોજ પડી જશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

શુક્ર કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ; આ 3 રાશિવાળાને મોજે દરિયા, આવકના નવા સ્ત્રોત ખુલશે, છપ્પરફાડ લાભ થશે!

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી હવામાન, પ્રકૃતિ, દેશ દુનિયા સહિત તમામ રાશિના જાતકોને પણ અસર થાય છે. દશેરા બાદ આવતી કાલે એટલે કે 13 ઓક્ટોબરે શુક્ર રાશિ પરિવર્તન કરશે. શુક્રદેવ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 

શુક્ર ગ્રહને વૈદિક જ્યોતિષમાં ખુબ શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. તે સુખ, ધન-વૈભવ, પ્રેમ-આકર્ષણ, ભોગ વિલાસ વગેરેનો સ્વામી ગ્રહ છે. શુક્રદેવના વૃશ્ચિક રાશિમાં ગોચરથી તમામ રાશિઓને અસર થશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને ખુબ લાભ થઈ શકે છે. જાણો આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે. 

વૃષભ રાશિ
વૃશ્ચિક રાશિમાં શુક્રનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. તમે વધુ આત્મવિશ્વાસુ અને સકારાત્મક બનશો. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આવકમાં વધારો થશે. કરિયરમાં ઉન્નતિ થશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વેપાર અને ઉદ્યોગ ધંધામાં લાભ થશે. ઉત્પાદન વધશે. પરિવારની સાથે સમય વિતાવવાની તક મળશે. લવ લાઈફમાં સંબંધોમાં મજબૂતી આવશે. વિવાહના યોગ બનશે. 

કન્યા રાશિ
વૃશ્ચિક રાશિમાં શુક્ર ગોચરથી કન્યા રાશિના જાતકોના જીવન પર અનુકૂળ અસર થવાના યોગ છે. આ ગોચર દરમિયાન તમે વધુ ઉર્જાવાન અને સક્રિય રહેશો. તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમે વધુ રચનાત્મક અને નવીન વિચારોથી ભરપૂર મહેસૂસ કરશો. તેની અસર કરિયર, નોકરી, વેપાર, સંબંધો, સહિત જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. લગ્નજીવનમાં મધુરતા આવશે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્ર ગોચર ખુબ લાભકારી રહેશે. તમારી વાણીમાં મધુરતા આવશે અને બીજાને સરળતાથી પ્રભાવિત કરી શકશો. તમે ઝડપથ યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. કાર્યક્ષેત્રે સન્માન મળશે. નવા વેપારી સંબંધ બનશે. મુસાફરી લાભકારી રહેશે. કરજ ચૂકવવામાં સફળતા મળશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news