ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ

Jhadu Totka: ઘરમાં સાવરણી રાખવાના પણ વાસ્તુ નિયમો છે. માન્યતા છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.  જો ઘરમાં સાવરણી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેની સાથે જ ઘરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવે છે. તો ચાલો જાણીએ સાવરણી રાખવાના આવા નિયમો વિશે.

ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ

Jhadu Totka: ઘરમાં રાખેલી દરેક વસ્તુ માટે વાસ્તુ નિયમો છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વાસ્તુ નિયમો અનુસાર કામ કરે છે તો તે જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતો. તેના કારણે પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં સાવરણી રાખવાના પણ વાસ્તુ નિયમો છે. માન્યતા છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.  જો ઘરમાં સાવરણી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેની સાથે જ ઘરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવે છે. તો ચાલો જાણીએ સાવરણી રાખવાના આવા નિયમો વિશે.

ઘરમાં સાવરણી રાખવાના નિયમો

આ પણ વાંચો:

- વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ઘરમાં હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ ઘરમાં થાય છે. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. આ સિવાય સાવરણીને ક્યારેય નીચે ન રાખવી જોઈએ. આ રીતે ન રાખવામાં આવે તો ઘરમાં ધનની અછત સર્જાય છે.

- વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ઘરમાં રાખવાની સાચી દિશા પણ જણાવવામાં આવી છે. વાસ્તુ અનુસાર સાવરણીને હંમેશા ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે.

- એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સાવરણી રાખવી ખૂબ જ લાભકારી સાબિત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર પાસે સાવરણી રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી અટકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news