IND vs ENG મેચ પહેલા સામે આવ્યા ખરાબ સમાચાર, ઈજાને કારણે બહાર થઈ શકે છે આ ખેલાડી

T20 World Cup 2022: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર સેમીફાઇનલ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક મેચ વિનર ખેલાડી ઈજાને કારણે બહાર થઈ શકે છે. 
 

IND vs ENG મેચ પહેલા સામે આવ્યા ખરાબ સમાચાર, ઈજાને કારણે બહાર થઈ શકે છે આ ખેલાડી

એડિલેડઃ India vs England T20 World Cup 2022: ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) ની બીજી સેમીફાઇનલ મેચ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 10 નવેમ્બરે એડિલેડના મેદાનમાં રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ મહત્વની મેચમાં એક મેચ વિનર ખેલાડી બહાર થઈ શકે છે. આ ખેલાડીને ઈજા થઈ છે અને તેના રમવા પર સસ્પેન્સ યથાવત છે. 

ભારત-ઈંગ્લેન્ડની મેચમાં બહાર થઈ શકે છે આ ખેલાડી
ટી20 વિશ્વકપ 2022ની આ મહત્વની મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં શ્રીલંકા સામે મુકાબલામાં ટીમનો સ્ટાર બેટર ડેવિડ મલાન ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે હવે મલાન ભારત સામે મેચમાં બહાર રહી શકે છે. તેને ફીલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી અને તે બેટિંગ માટે પણ આવ્યો નહોતો. 

સાથી ખેલાડીએ આપી માહિતી
ડેવિડ મલાનની ઈજા પર તેના સાથી ખેલાડી મોઇન અલીએ મહત્વની માહિતી આપી છે. મોઇન અલીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું- તે ઘણા વર્ષથી અમારા બેસ્ટ ખેલાડીમાં રહ્યો છે. મને નથી ખ્યાલ, પણ સાચુ કહું તો તે ઠીક લાગી રહ્યો નથી. તે કાલે સ્કેન માટે ગયો હતો અને જ્યારે આવ્યો, તો અમે ખરેખર વધુ જાણતા નથી પરંતુ તે સારો લાગી રહ્યો નથી.

આ ખેલાડી લઈ શકે છે મલાનનું સ્થાન
ડેવિડ મલાન છેલ્લા કેટલાક સમયથી ટી20 ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે ત્રીજા ક્રમે બેટિંગ કરે છે. જો સેમીફાઇનલમાં મલાન નહીં રમે તો ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગશે. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ મલાનના સ્થાને ટીમમાં વધુ એક વિસ્ફોટક બેટર ફિલ સાલ્ટને સામેલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news