IND vs SL: દ્રવિડ-રોહિતે પલટ્યું આ ખેલાડીનું ભાગ્ય, કોહલી-શાસ્ત્રી બરબાદ કરી રહ્યા હતા કારકિર્દી!

ટીમમાં એક એવો ખેલાડી પણ છે, જેને રોહિત અને દ્રવિડ આવતાની સાથે જ ટીમમાં સતત તકો મળવા લાગી અને તે હવે વિશ્વ ક્રિકેટ પર છવાયેલો છે. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે. કોચ દ્રવિડ અય્યરને ઘણી તકો આપી રહ્યા છે અને તે હાલના સમયે શ્રીલંકા સામે સૌથી મોટી મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે.

 IND vs SL: દ્રવિડ-રોહિતે પલટ્યું આ ખેલાડીનું ભાગ્ય, કોહલી-શાસ્ત્રી બરબાદ કરી રહ્યા હતા કારકિર્દી!

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ આવતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ વિશ્વમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. અમે તમને જણાવી દઈએ કે રોહિત અને દ્રવિડ સતત ખેલાડીઓને તક આપવા અને તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયામાં હાલ એક એવો ખેલાડી છે, જેનું ભાગ્ય દ્રવિડ અને રોહિતના આવતાની સાથે જ બદલાઈ ગયું. આ ખેલાડીએ બેટથી શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

દ્રવિડ-રોહિતે પલટ્યું આ ખેલાડીનું કિસ્મત
ટીમમાં એક એવો ખેલાડી પણ છે, જેને રોહિત અને દ્રવિડ આવતાની સાથે જ ટીમમાં સતત તકો મળવા લાગી અને તે હવે વિશ્વ ક્રિકેટ પર છવાયેલો છે. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે. કોચ દ્રવિડ અય્યરને ઘણી તકો આપી રહ્યા છે અને તે હાલના સમયે શ્રીલંકા સામે સૌથી મોટી મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. ખાસ કરીને બીજી ટી20માં આ બેટ્સમેને માત્ર 44 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. આ દરમિયાન અય્યરના બેટથી 6 ફોર અને 4 લાંબી સિક્સર આવી હતી. હવે લાગે છે કે આ ખેલાડી ભારતના મિડલ ઓર્ડરની તાકાત બની ગયો છે અને આવનારા સમયમાં આનાથી પણ સારું પ્રદર્શન કરી શકે છે. 

ટેસ્ટ ટીમમાં પણ ડેબ્યુ
શ્રેયસ અય્યરને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તક આપવામાં આવી હતી. આ સીરિઝમાં પ્રથમ વખત રાહુલ દ્રવિડને ભારતીય ટીમનો કાયમી કોચ બનાવવામાં આવ્યા હતા. અય્યરે આ તક જવા ન દીધી અને ડેબ્યૂમાં શાનદાર સદી પણ ફટકારી. એવું માનવામાં આવે છે કે કોચ દ્રવિડને આ ખેલાડી પર ઘણો વિશ્વાસ છે અને આ ખેલાડી આગામી ત્રણ ફોર્મેટમાં રમતો જોવા મળી શકે છે.

કોહલી-શાસ્ત્રીએ છીનવ્યું હતું સ્થાન
તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ શાસ્ત્રીની વિદાય બાદ તેઓ નવા કોચ બન્યા છે. જ્યારે, રોહિતને હાલમાં જ વિરાટ કોહલીની જગ્યાએ ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શાસ્ત્રી-કોહલીના સમયે ભારતીય ટીમે બે વખત ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી હતી અને ઈંગ્લેન્ડની ધરતી પર પણ ટેસ્ટ સીરિઝ જીતી હતી. પરંતુ તે ટીમ ઈન્ડિયા માટે એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે રોહિત-દ્રવિડની જોડી ભારતને ફરી એકવાર ICC ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.

ભારતે જીતી લીધી સીરિઝ
ટીમ ઈન્ડિયાએ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવી સીરીઝ 2-0થી કબજે કરી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 186 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના બળ પર ભારતે આ મેચ 17 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. આ મેચમાં ભારતના બોલરો ફ્લોપ રહ્યા હતા જ્યારે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news