પિતા બનવાના સવાલ પર બોલ્યો કોહલી, બાળકો તો હશે પરંતુ ઘરમાં નથી જોતી આ વસ્તુ

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ પોતાની પર્સનલ અને પ્રોફેશન લાઇલ વિશે ખૂલીને વાત કરી હતી. 

 પિતા બનવાના સવાલ પર બોલ્યો કોહલી, બાળકો તો હશે પરંતુ ઘરમાં નથી જોતી આ વસ્તુ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અનને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. ત્યારથી દેશના તમામ કપલ માટે બેન્ચમાર્ક સેટ કર્યો છે. વિરૂષ્કા નામથી લોકપ્રિય કપલની વિશ્વમાં ચાહકોનું લાબું લિસ્ટ છે. બંન્ને પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મળવાનો સમય કાઢવાનો પ્રયત્ન કરે છે. આઈપીએલ 2018 દરમિયાન અનુષ્કા ઘણી વાર પોતાના પતિ વિરાટની ટીમ બેંગલુરૂને સ્પોર્ટ કરતી જોવા મળી હતી. વિરાટે એક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટની સાથે ફેમેલી પ્લાનિંગ વિશે ખૂલીને વાત કરી. તેણે તેમાં જણાવ્યું કે, ઘરમાં બાળકો માટે કેવો માહોલ ઈચ્છે છે. 

હાલમાં ઈએસપીએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ પોતાની પર્સનલ અને પ્રોફેશન લાઇફ વિશે વાત કરી. વિરાટે પ્રથમવાર બાળકો વિશે ચર્ચા કરી. વિરાટે અનુષ્કા વિશે જણાવ્યું કે, જ્યારથી અનુષ્કા તેની જિંદગીમાં આવી છે, ત્યારથી મારી જિંદગીમાં ફેરફાર થયો છે, કારણ કે તે ઘણી ધાર્મિક છે. 

ફેમેલી પ્લાનિંગ વિશે વિરાટનું કહેવું હતું, જીવનમાં દરેક વસ્તુ ક્ષણિક છે. આ પણ ઈંતજાર પૂરો થશે. મારો પરિવાર છે તો બાળકો થશે. તેને પૂરો સમય મળવો જોઈએ. આ ખરેખર યોગ્ય નિર્ણય છે અને મારા દિલની નજીક છે. તેણે આગળ કહ્યું, હું ઈચ્છું છું કે જ્યારે પણ મારા બાળકો મોટા થાય ત્યારે મારા ઘરમાં મારી સિદ્ધિઓ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ન રહે. 

આ પહેલા વિરાટે ખુલાસો કર્યો હતો કે, અનુષ્કા ફીલ્ડથી બહારની કેપ્ટન છે અને તે તેની જિંગદીમાં તમામ મહત્વપૂર્ણ નિર્ણય લે છે. કોહલીએ કહ્યું, તે મારા જીવનમાં તમામ નિર્ણયો યોગ્ય લે છે. તે સંપૂર્ણ રીતે મારી શક્તિ છે અને તે મને દરેક સમયે પોઝિટિવ રાખે છે. 

કોહલી હવે ઈંગ્લેન્ડ જશે ત્યાં તે સરે ક્રિકેટ કાઉન્ટી તરફથી રમશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. તે સિવાય વનડે અને ટી20 પણ રમાશે. આ શ્રેણી જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે અનુષ્કા હાલમાં તેની આગામી ફિલ્મ સુઈ-ધાગામાં વ્યસ્ત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news