શું છુટા પડશે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા? બંનેની ઇન્સ્ટા પોસ્ટથી શરૂ થઈ ચર્ચા

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે બધુ બરાબર નથી? તેને લઈને ફેન્સ ખાસ કન્ફ્યૂઝ્ડ છે. હકીકતમાં ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામથી પોતાની ચહલ સરનેમ હટાવી દીધી હતી. 

શું છુટા પડશે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા? બંનેની ઇન્સ્ટા પોસ્ટથી શરૂ થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના અંગત જીવનમાં કંઈક ગડબડ ચાલી રહી છે. આ વાત તેના ખુદના અને પત્ની ધનશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામથી જાણવા મળી રહી છે. ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સરનેમ હટાવી દીધી છે. 

આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, તેણે લખ્યું હતું,  'New Life Loading'. પરંતુ ચહલે આ પોસ્ટ થોડીવાર બાદ હટાવી દીધી છે. ચહલની આ પોસ્ટ અને ધનશ્રીની સરનેમ હટાવ્યા બાદ બંનેના સંબંધો વચ્ચે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. 

સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ-અલગ વાતો કરી રહ્યાં છે. તેમાં બ્રેકઅપને લઈને પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ધનશ્રીએ ચહલ સરનેમ હટાવ્યા બાદ પહેલી પોસ્ટ કરી, જેમાં તેણે દર્દમાં હોવાનો સંકેત આપ્યો. ધનશ્રીએ પોસ્ટમાં લખ્યું- એક રાજકુમારી હંમેશા પોતાના દર્દને શક્તિમાં બદલી દેશે. 

— Mufaddal Vohra (@mufaddol_vohra) August 16, 2022

ધનશ્રીની પોસ્ટને ચહલે કરી લાઇક
આ સાથે ધનશ્રીએ બે ફોટો પણ શેર કર્યાં છે, જેમાં તે શાંત બેઠેલી જોવા મળી રહી છે. ધનશ્રી ડેન્ટિસ્ટની સાથે-સાથે ડાન્સ કોરિયોગ્રાફર પણ છે. તે યૂટ્યૂબ પર સતત પોતાના વીડિયો શેર કરે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. પરંતુ ધનશ્રીની આ પોસ્ટને ચહલે લાઇક કરી છે. 

ધનશ્રી એક ડાન્સ કોરિયોગ્રાફર છે અને ડાન્સ ક્લાસ ચલાવે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલે લોકડાઉન દરમિયાન તેના ઓનલાઇન ક્લાસ જોઈન કર્યાં હતા. આ દરમિયાન બંને નજીક આવ્યા હતા. માત્ર 3 મહિનાના રિલેશન બાદ ચહલે ધનશ્રી સાથે સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news