કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર 4 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. મંદિરની ડિઝાઇન સોમપુરા બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જાણો શું છે મંદિરની ખાસિયત અને કેવી રીતે બનશે એકતાનું પ્રતિક.
Rajkot Umiyadham: શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર માટે કુલ 32 વિધા જમીન ખરીદ કરવામાં આવી છે. આ મંદિર બનાવવામાં કુલ 550 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં ઉમિયા માતાજીનું મંદિર અને શિક્ષણધામ પણ હશે.