બજેટ સત્ર News

દેશ-પ્રદેશના મહત્વના સમાચાર: દમણમાં કોર્પોરેટર સલીમ મેમણ પર થયું ફાયરિંગ...
દેશ પ્રદેશમાં જુઓ.... સુરતના કતારગામ વિસ્તારમાં કિશોરી સાથે ગેંગરેપના મામલામાં કતારગામ પોલીસ મથક બહાર ભારે લોકટોળુ એકઠુ થયું હતું. જેમાં પોલીસની કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો. કિશોરી સાથે છ મહિના પહેલા બનેલી ગેંગરેપની ઘટનામાં આશરે 200થી વધુ લોકટોળુ એકઠું થયું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તો અન્ય સમાચારમાં જુઓ, દમણના કોર્પોરેટર સલીમ મેમણ પર ખારીવડ વિસ્તારમાં આડેધડ ફાયરિંગ થયું હતું. તેઓ એક શો રૂમમાં બેઠા હતા એ સમયે અજાણ્યા શખ્સો દ્વારા સલીમ મેમણ પર 3થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલીમ મેમણને હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચ્યો હતો. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડતો થયો હતો.
Mar 2,2020, 21:10 PM IST
સમાચાર ગુજરાતમાં જુઓ આજના મહત્વના સમાચાર એક ક્લિક પર...
સમાચાર ગુજરાતમાં જુઓ ગુજરાતભરના આજના મહત્વના સમાચાર.... આજે ગુજરાત વિધાનસભાના બજેટસત્રના ચોથા દિવસે ગૃહમાં દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે રાજયમાં દારૂબંધીની સ્થિતિ પર ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યભરમાંથી બુટલેગરો અને દારૂના અડ્ડાઓ અંગે પોલીસને 9081 ફરિયાદો મળી છે. સૌથી વધુ ફરિયાદ અમદાવાદ જિલ્લામાં 4984 ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લામાં દારૂ અંગે 1989 ફરિયાદો મળી છે. તો મહીસાગર જિલ્લામાં દારૂ અંગે એક પણ ફરિયાદ મળી નથી. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલો અંગે સરકારે લેખિતમાં આ જવાબ રજૂ કર્યો છે. જેને પગલે કોંગ્રેસ સત્તાપક્ષ સામે સવાલ ઉઠાવ્યો હતો.
Mar 2,2020, 20:45 PM IST
વિધાન સભા સત્રનો આજે બીજો દિવસ, રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે સદન
Feb 27,2020, 12:45 PM IST
મહેસાણાના પશુપાલકોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા
Feb 27,2020, 12:10 PM IST
આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત
Feb 27,2020, 11:55 AM IST
ગુજરાત બજેટ: રત્નકલાકારો કોઇ જાહેરાત નહી, રત્નકલાકારો રસ્તા પર ઉતરે તેવી શક્યતા
રાજ્ય સરકારનાં બજેટ બાદ રત્ના કલાકાર સંઘમાં અસંતોષ જોવા મળ્યો છે.તેઓ દ્વારા કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત માં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી કફોડી બનતી જાય છે આ સાથે જે નાના કારખાનાઓ છે તે પણ બંધ થઈ જઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે ઉઘરાવવામાં આવી રહ્યા છે જેને કારણે રત્ના કલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા છેલ્લા ચાર બજેટ પૂર્વે નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી..તેમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટમાં રત્નકલાકારો ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે રજૂઆત કર્યા બાદ પણ તેઓ માટે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી રહી નથી .જેને કારણે તેઓ દ્વારા કમિટી ના સભ્યો સાથે મિટિંગ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરશે. જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ હીરા બજાર મીની બજાર તથા કારખાનો બંધ રાખવામાં આવશે.
Feb 27,2020, 10:55 AM IST
ગુજરાત બજેટ 2020: બનાસકાંઠાના ખેડૂતોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા
આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું બજેટ 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને સહાયની જાહેરાત કરી જેમાં પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે તેવી જાહેરાતો કરાઈ જેમાં મુખ્યમંત્રી પશુ ધિરાણ સહાય યોજના હેઠળ પશુપાલકોને એક ગાય કે ભેંસના વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણની ખરીદી ઉપર 50 ટકાની સહાય તેમજ ગાય આધારિત ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 અને વાર્ષિક 10,800 રૂપિયાની જોગવાઈ તેમજ 10 ગામ વચ્ચે એક હરતું ફરતું દવાખાનું ,ગીર અને કાંકરેજી ગાયના સંવર્ધન માટે 232 કરોડની જોગવાઈ,પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ માટે 281 કરોડની જોગવાઈ તેમજ રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓને અપગ્રેડ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે જેને લઈને આ બજેટને બનાસકાંઠાના પશુપાલકોને આ બજેટ વિશે પૂછતાં તેમને કહ્યું હતું કે આ બજેટમાં પશુપાલકો અને ખેડૂતો માટે ખુબજ સરસ છે તેનાથી પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે પરંતુ હજુ વધારે યોજના પશુપાલકો માટે બનાવવાની જરૂર હતી તો આ બજેટ ફક્ત બજેટ ન બની રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે.
Feb 27,2020, 10:45 AM IST

Trending news