ભદ્રકાળી મંદિર News

નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી
આજથી અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા (bhadrakali mandir ahmedabad) ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.
Jun 10,2020, 9:01 AM IST
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
Sep 30,2019, 8:47 AM IST
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
Sep 29,2019, 13:27 PM IST

Trending news