Demanding News

વતન જવા આતુર હજારો શ્રમજીવી સોનીની ચાલી ખાતે એકત્ર થતા તંત્ર દોડતું થયું
કોરોનાનું સંકટ ધીરે ધીરે ગંભીર બનતું જઇ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતી ખુબ જ ગંભીર બનતી જઇ રહી છે. ત્યારે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પોતાના વતન જવા માટે લાંબા સમયથી તલપાપડ હતા. તેવામાં સરકાર દ્વારા બહારના રાજ્યોનાં શ્રમજીવીઓને બહાર મોકલવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રોજ સેંકડો શ્રમજીવીઓને વતન મોકલાઇ રહ્યા છે. જો કે આ બાબતે કેટલીક ભ્રાંતિઓ પણ ફેલાઇ રહી છે. જેના કારણે અનેક શ્રમજીવીઓ બેબાકળા થઇ રહ્યા છે. જો સરકાર તેમને વતન પ્રક્રિયા અટકાવી દેશે અને પોતે રહી જશે તો તેવી ભ્રાંતિને કારણે આજે સોનીની ચાલી ખાતે સેંકડો શ્રમજીવીઓ ઉમટી પડ્યા હતા.
May 5,2020, 23:22 PM IST

Trending news