Janashirwad yatra News

જીતુ વાઘાણી ભાવનગર પહોંચીને પવિત્ર ભુમી સામે નતમસ્તક, આશિર્વાદ યાત્રામાં નાગરિકોનો આ
રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત માદરે વતન ભાવનગર આવેલાં નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. તેમણે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે પહોંચી શિશ નમાવીને ભાવેણાંની પવિત્ર ધરતીને નમન કર્યું હતું. શિક્ષણમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુ વાઘાણીનું ભાજપના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓએ ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અદકેરૂં અભિવાદન કર્યું હતું. આ તકે, સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા.
Oct 10,2021, 0:07 AM IST

Trending news