jnu
શહલા રશીદના પિતાએ લગાવ્યો આરોપ- 'મારી પુત્રી દેશદ્રોહી ગતિવિધોમાં સામેલ'
જેએનયૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદ ( Abdul rashid)એ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી જોરદાર પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે.
Nov 30, 2020, 09:11 PM ISTJNUમાં પીએમ મોદીએ કર્યુ વિવાકાનંદની પ્રતિમાનું અનાવરણ, કહ્યું- આ મૂર્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ શીખવાડશે
PM મોદીએ પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું જેએનસૂ પ્રશાસન, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અવસર પર શુભેચ્છા આપુ છું. સાથીઓ સ્વામી વિવાકાનંદ કહેતા હતા કે મૂર્તિમાં આસ્થાનું રહસ્ય તે છે કે તમે તે એક વસ્તુથી વિઝન ઓફ ડિવિનિટી વિકસિત કરી શકો છો.
Nov 12, 2020, 07:05 PM ISTJNUમાં વિદ્યાર્થીઓને લીડરશીપ શિખવવા માટે રામાયણના કાર્યક્રમનું થશે આયોજન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રામાયણ પર વિશેષ સત્રનું આયોજન થશે. રામાયણમાંથી લીડરશીપની કળા શીખવા માટે 2 અને 3 મેના રોજ જેએનયુમાં વિશેષ સત્રનું આયોજન સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી થશે. આ વાતની જાણકારી જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ટ્વીટ કરીને આપી.
Apr 28, 2020, 02:41 PM ISTકનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
Feb 28, 2020, 08:16 PM IST‘JNUની ટુકડે ટુકડે ગેંગને હું મફતમાં શિકારા ફિલ્મ બતાવીશ....’
જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં કાશ્મીરથી કાશ્મીરી પંડિતો (kashmiri Pandit) ના પલાયન પર વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ ફિલ્મ શિકારા (Shikara) બનાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની માંગ કરાઈ છે.
Feb 5, 2020, 05:03 PM ISTJNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી
JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે.
Jan 26, 2020, 05:41 PM ISTશરજિલનો વધુ એક વીડિઓ વાયરલ, દિલ્હીમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
Jan 26, 2020, 05:21 PM ISTJNUના વિદ્યાર્થી શરજિલ ઇમામની ધરપકડ માટે પોલીસની બે ટીમ રવાના
જેએનયૂના વિદ્યાર્થી શરજિલ ઇમામના વિવાદિત નિવેદન બાદ અલીગઢ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Jan 25, 2020, 11:35 PM ISTEXCLUSIVE: દીપિકાની JNU વિઝિટ પર કંગનાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
બોલિવૂડ (Bollywood) ની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કંગના રનૌત (kangana ranaut) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પંગાના પ્રમોશનને લઈને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પંગા આ અઠવાડિયે 24 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
Jan 21, 2020, 09:23 AM ISTJNU હિંસા: 3 પ્રોફેસરોની અરજી પર દિલ્હી HC દ્વારા ફેસબુક, ગૂગલ અને Whatsapp ને નોટીસ
જેએનયૂ (JNU)ના ત્રણ પ્રોફેસરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ફેસબુક (Facebook), ગૂગલ (google) અને વોટ્સઅપ (Whatsapp)ને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે. જોકે અરજીમાં 5 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના CCTV ફૂટેજ અને બીજા પુરાવાની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે.
Jan 13, 2020, 06:03 PM ISTJNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ જેએનયુ ઘટના (JNU Violence) બાદથી અનેક મોટા બ્રાન્ડ્સે તેનાથી દૂર ભાગી રહ્યાં છે. જ્યારે કે, કેટલાક બ્રાન્ડ્સનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કેટલીક જાહેરાતો થોડા સમય માટે હટાવી રહ્યાં છે. કોકા-કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરનારા આઈપીજી મેડીબ્રાન્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિન્હાએ કહ્યું કે, સામાન્ય રીતે, બ્રાન્ડ્સ સુરક્ષિત રહેવાનુ પસંદ કરે છે અને કોઈ પણ વિવાદથી સાવધાન રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયે દીપિકા પાદુકોણ પર ફિલ્માયેલી સ્કીલ ઈન્ડિયાનો પ્રમોશનલ વીડિયો ડ્રોપ કરી દીધો છે.
Jan 13, 2020, 01:24 PM ISTJNUના મુદ્દે સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, જેએનયુને બે વર્ષ માટે બંધ કરી દેવી જોઇએ
ભારત એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય ધાર્મિક અત્યાચારમાં સંલગ્ન થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિએ અન્ય કોઇપણ સંસ્કૃતિની સરખામણીએ સ્ત્રીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જૂનાગઢથી દિબ્રુગઢ સુધી તમામ ભારતીયો સમાન છે અને એક જ ડીએનએ ધરાવે છે.
Jan 12, 2020, 08:48 AM ISTJNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા
જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Jan 12, 2020, 08:04 AM ISTJNU હિંસાનો વધુ એક Videoનો રાઝ ખૂલ્યો, હુમલાના ષડયંત્રની ખૂલી ગઈ પોલ
જેએનયુ હિંસા (JNU Violence) નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. 5 જાન્યુઆરીના રોજ સાબરમતી હોસ્ટેલમાં થયેલી હિંસાથી પહેલા દંડાની પાસે પેરિયાર હોસ્ટલની બહાર બુકાનીધારી એકછા થયા હતા. પોલીસ ભીડને કાબૂ કરવાનો પ્રયાસ કરી રહી હતી. વીડિયોમા વિદ્યાર્થીઓ દંડા પકડેલા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પેરિયાર હોસ્ટેલમાં થયેલા હુમલા પહેલાનો છે. અનેક વિદ્યાર્થીઓ હુમલાની તૈયારી કરી રહ્યાં છે. તે સમયે વર્દીમાં કેટલાક પોલીસવાળા દેખાઈ રહ્યાં છે. પોલીસવાળા ઉગ્ર વિદ્યાર્થીઓને રોકતા દેખાઈ રહ્યાં છે. વર્દીમાં જે પોલીસ છે, તે વિદ્યાર્થીઓને સમજાવીને તેઓની પાસેથી દંડા પરત લઈ રહ્યાં છે. એક વિદ્યાર્થીની સાથે ધક્કામુક્કી થઈ રહી છે, તે હાથ જોડી રહ્યો છે.
Jan 11, 2020, 09:57 PM ISTABVP દ્વારા ગુજરાત વિદ્યાપીઠ બહાર JNU હિંસાના વિરોધમાં સુત્રોચ્ચાર
આજે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ બહાર abvpના કાર્યકરો દ્વારા બેનરો લઈ વિરોધ કરી રહ્યા છે. જેમાં JNUમાં હિંસા અંગે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ બાદ અમદાવાદમાં ABVPનો વિરોધ કેવા આવી રહ્યો છે. તેઓ ડાબેરીઓને લાલ આંતંકીઓ ગણાવી વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં થયેલી હિંસા અંગે abvpની માંગ છે કે દોષીતો સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે અમદાવાદમાં હિંસા કરનાર ગુંડાઓની અટકાયત ના થવા અંગે abvp એ મૌન જ પાળ્યું હતું.
Jan 11, 2020, 04:24 PM ISTદિલ્હી પોલીસે JNUમાં હિંસાના આરોપીઓની ઓળખ કરી
દિલ્હી પોલીસે ગત રવિવારે JNU માં હિંસાના આરોપીઓની ઓળખ કરી છે. અત્યાર સુધી એક પણ આરોપીઓને ધરપકડમાં લેવાયા ન હતા. ત્યારે આવનારા દિવસોમાં તમામ ની અટકાયત કરી પૂછતાછ કરાશે તેવું દિલ્હી પોલીસે જણાવ્યું. ઓળખ કરાયેલ આરોપીઓમાં JNUSU અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.
Jan 10, 2020, 09:30 PM ISTકોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા
આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.
Jan 10, 2020, 06:46 PM ISTસ્મૃતિનો દીપિકા પર હુમલો, 'જે દેશના ટુકડા ઈચ્છે છે, તે તેની સાથે ઉભી રહી'
એક કાર્યક્રમમાં જેએનયૂ મામલા પર બોલતા સ્મૃતિ ઈરાનીએ દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દીપિકા દેશને બરબાદ કરનારની સાથે ઉભી રહી હતી.
Jan 10, 2020, 04:24 PM ISTBJPના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદમાં, JNU વિવાદ પર આપ્યું નિવેદન
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે આજે ઇન્ડસ યુનીવર્સીટી માં તેમના લેકચર નું આયોજન કરવામાં આવ્યું છે તે માટે તે આવ્યા છે તેમને Jnuમાં ચાલી રહેલા વિરોધ મામલે પણ તેમણે નિવેદન આપ્યું.
Jan 10, 2020, 12:10 PM ISTLIVE DEBATE સાચું કોણ: ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ મુદ્દે ખાસ ચર્ચા, જુઓ Live...
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં.
Jan 9, 2020, 10:35 PM IST