Swami vivekananda News

પોરબંદરના આ સ્થળે એવુ તો શુ હતું કે સ્વામી વિવેકાનંદ ચાર મહિના રોકાયા હતા
12મી જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. ઇતિહાસના પાનાઓમાં અંકાઇ ગયેલો આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતની ભૂમિ પર મહાન વિચારકે જન્મ લીધો હતો, જેમણે વિશ્વભરમાં ભારતનો સંદેશો ફેલાવ્યો હતો. આજથી 150 વર્ષ પહેલાં મહાન સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) નો જન્મ થયો હતો. સ્વામીજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ તેમનો જુસ્સો, મિશન અને સંદેશો આજે પણ દેશની પેઢીઓને પ્રેરીત કરતો રહે છે. યુવાઓ (Youth Day) ના આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 159મી જન્મજયંતિ છે. તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સ્વામીજીનાં વિચાર કોઇ પણ વ્યક્તિની નિરાશાને દુર કરી શકે છે. તેમાં આશાનો સંચાર કરી શકે છે. સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તેવું એક જગત ગુરુ ભારતનું સપનું સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું. તેમના સ્વપ્ન અનુસારના ભારતનું નિર્માણ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ દેશના ઘડતરમાં યુવાનોને રાહ ચિંધતા કાર્યક્રમોની શરુઆત કરી દીધી છે. 
Jan 12,2022, 15:24 PM IST

Trending news