મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાંથી સાવંતે આપ્યું રાજીનામુ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા અપડેટ આવ્યાં છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો.

Trending news