વડાપ્રધાન : એક સમયે પાણી માટે ગોળીઓ મરાતી હતી પણ હવે ગુજરાત નીકળી ગયું છે બહુ આગળ

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી.

Trending news