ITR: આ વાતનું ધ્યાન નહીં રાખો તો વધુ કપાશે ઈનકમ ટેક્સ, જાણો કેવી રીતે થાય છે ટેક્સની ગણતરી

ITR: 50 ટકા સુધીનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો તમે સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી 12 મહિનાની અંદર અપડેટ કરેલ ITR ફાઇલ કરો છો, તો તમારે બાકીના ટેક્સ પર 25% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો સમાન કાર્ય સંબંધિત આકારણી વર્ષના અંતથી 24 મહિનાની અંદર કરવામાં આવે તો, વધારાનો 50% ટેક્સ ચૂકવવો પડશે.

ITR: આ વાતનું ધ્યાન નહીં રાખો તો વધુ કપાશે ઈનકમ ટેક્સ, જાણો કેવી રીતે થાય છે ટેક્સની ગણતરી

Income Tax Retruns: ભારત સરકાર હાલમાં જ નોકરીયાત વર્ગને ઈનકમ ટેક્સમાં મોટી રાહત આપી છે. બજેટમાં નોકરીયાત વર્ગને ઈનકમ ટેક્સમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, આખરે ઈનકમ ટેક્સની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. તેમજ ઈનકમ ટેક્સ અપડેટ માટે આ વખતે છેલ્લી તારીખ કઈ છે અને ત્યાં સુધી ન ભરી શકાય તો શું પેનલ્ટી થાય...આ જાણકારી દરેક નોકરીયાત વર્ગ પાસે હોવી જ જોઈએ...ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં માત્ર એક મહિનો બાકી છે અને 31 માર્ચ, 2023 ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. જો કોઈ કારણોસર તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઈલ નથી કર્યું અથવા તેમાં કોઈ આવકની માહિતી આપવાનું ભૂલી ગયા છો, તો 31 માર્ચ સુધીમાં અપડેટેડ ITR (ITR-U) ફાઈલ કરો.

સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી 24 મહિનાની અંદર અપડેટ કરેલ ITR ફાઇલ કરવાનું રહેશે. આ માટે કેટલાક નિયમો અને શરતો છે. 31 માર્ચ, 2023 સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાથી પેનલ્ટી અને ફી લાગતી નથી. પરંતુ, આવકવેરા કાયદાની કલમ 140B હેઠળ વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ આવક કરદાતાની નિયમિત આવક હોય અને તે કરવેરા હેઠળ આવે તો તેણે રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. હાલમાં, વાર્ષિક રૂ. 2.5 લાખ સુધીની આવક કરમુક્ત છે. તેનાથી ઉપરની આવક પર ટેક્સ ભરવો પડશે. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે, તમારે આઇટીઆર ફોર્મનો ઉપયોગ કરવો પડશે જે સંબંધિત મૂલ્યાંકન વર્ષ માટે આવકવેરા વિભાગ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે.

રિટર્ન ફાઈલ નહીં કરો તો...
50 ટકા સુધીનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો તમે સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી 12 મહિનાની અંદર અપડેટ કરેલ ITR ફાઇલ કરો છો, તો તમારે બાકીના ટેક્સ પર 25% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો સમાન કાર્ય સંબંધિત આકારણી વર્ષના અંતથી 24 મહિનાની અંદર કરવામાં આવે તો, વધારાનો 50% ટેક્સ ચૂકવવો પડશે. આનો અર્થ એ છે કે તમારે નાણાકીય વર્ષ 2019-20 માટે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા પર વધારાનો 50% ટેક્સ ચૂકવવો પડશે. નાણાકીય વર્ષ 2019-20 માટે મૂલ્યાંકન વર્ષ 2020-21 હશે.
31 માર્ચ, 2023 નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે.

ટેક્સની ગણતરીઃ
કુલ કર જવાબદારીની ગણતરી કરવા માટે, તમારે વ્યાજ, વિલંબિત ફી અને વધારાના કર સાથે ચૂકવવાના કરની રકમ ઉમેરવી જરૂરી છે.
કુલ ઉમેરા પછી જે રકમ આવશે તે તમારી કુલ કર જવાબદારી હશે.
ચોખ્ખી કર જવાબદારીની ગણતરી કરવા માટે, કુલ જવાબદારી (ઉપર) માંથી TDS/TCS/એડવાન્સ ટેક્સ/ટેક્સ રિબેટ બાદ કરો. આ ગણતરી પછી જે રકમ આવશે તે તમારી ચોખ્ખી કર જવાબદારી હશે.

ભરવો પડશે દંડઃ
જો તમે 31 માર્ચ, 2023 સુધીમાં અપડેટેડ રિટર્ન ફાઇલ નહીં કરો, તો આવકવેરા વિભાગ કુલ કર જવાબદારી પર વધારાના ટેક્સ સાથે દંડ લાદી શકે છે. આ દંડ લઘુત્તમ 50 ટકા અને મહત્તમ 200 ટકા આકારણી કરનો હોઈ શકે છે. આ ઉપરાંત, આવકવેરા વિભાગ આત્યંતિક અને ઉચ્ચ મૂલ્યના કેસોમાં પણ કાર્યવાહી કરી શકે છે. અતુલ ગર્ગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, દેવ કશ્યપ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news