New locker rules: 1 જાન્યુઆરીથી બદલાશે બેંક લોકરના નિયમો, જાણી લો નહીતર થશે નુકસાન

Bank Locker New Rules: બેંક લોકરના નવા નિયમોની જાણકારી એસબીઆઇ અને BNB સહિત અન્ય બેંક પોતના ગ્રાહકોને એસએમએસ દ્વારા આપી રહી છે. 

New locker rules: 1 જાન્યુઆરીથી બદલાશે બેંક લોકરના નિયમો, જાણી લો નહીતર થશે નુકસાન

Reserve Bank of India: જો તમારી પાસે કોઈપણ બેંકમાં લોકર છે અથવા તમે લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ જાણવું જરુરી છે... વાસ્તવમાં, 1 જાન્યુઆરી, 2023 થી બેંક લોકરના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધિત નોટિફિકેશન મુજબ, નવા નિયમો લાગુ થયા બાદ બેંક લોકરની બાબતોમાં પોતાની મરજીથી ચલાવી શકશે નહીં. ગ્રાહકને નુકસાન થાય તો બેંક તેની જવાબદારીથી ભાગી શકે નહીં. જો બેંકની બેદરકારીને કારણે લોકરની સામગ્રીને નુકસાન થાય છે, તો બેંકે તેના માટે ગ્રાહકને વળતર આપવું પડશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સહિત દેશની અન્ય બેંકો RBI દ્વારા કરવામાં આવેલા આ નવા ફેરફારો વિશે તેમના ગ્રાહકોને આ માહિતી આપી રહી છે. આ બેંકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા તેમના ગ્રાહકોને નવા નિયમોની જાણકારી આપી રહી છે. જેમાં લખ્યું છે કે, 'RBIની નવી ગાઈડલાઈન મુજબ, નવા લોકર એગ્રીમેન્ટ 31 ડિસેમ્બર 2022 પહેલા એક્ઝિક્યુટ થવાના છે. આવી સ્થિતિમાં, બેંક લોકરના ગ્રાહકોએ ખાતરી કરવી પડશે કે તેઓએ નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે કે નહીં. લોકરના નવા નિયમો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે.

જાણો બેંકના લોકરના નવા નિયમો
- ગ્રાહકોને નુકસાન થવાની સ્થિતિમાં બેંક શરતો ટાંકીને અસ્વીકાર કરી શકે નહીં.. તેણે નુકસાન માટે વળતર ચૂકવવું પડશે.
- બેંકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના દ્વારા કરવામાં આવેલા લોકર કરારમાં કોઈ અન્યાયી શરતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી ગ્રાહકને નુકસાન થવાના કિસ્સામાં બેંક આ શરતને ટાંકીને સરળતાથી શરતથી દૂર રહી શકે.
- આરબીઆઈના નવા નિયમો હેઠળ તમામ બેંકોએ ખાલી લોકર અને વેઈટીંગ લિસ્ટની યાદી દર્શાવવી પડશે.
- બેંકોને એક સમયે મહત્તમ 3 વર્ષ માટે ગ્રાહક પાસેથી લોકરનું ભાડું વસૂલવાનો અધિકાર હશે.
- જો બેંકની બેદરકારીને કારણે લોકરની સામગ્રીને કોઈ નુકસાન થાય તો બેંક તેના માટે ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે
-  જે જગ્યામાં લોકર છે તેની સુરક્ષા માટે બેંકો તમામ પગલાં લેશે.

કુદરતી આફતો માટે બેંક જવાબદાર નથી
આરબીઆઈની સુધારેલી માર્ગદર્શિકામાં, ભૂકંપ, પૂર, વીજળી અથવા તોફાન જેવી કુદરતી આફતો અથવા ગ્રાહકની એકમાત્ર ભૂલ અથવા બેદરકારીને કારણે લોકરને થયેલા કોઈપણ નુકસાન માટે બેંકો જવાબદાર રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news