Abhishek Karisma Breakup: આ બે શરતો ભારે પડી, નહીં તો કરિશ્મા કપૂર અભિષેક બચ્ચનની પત્ની હોત!

Abhishek Bachchan Karisma Kapoor Marriage: કરિશ્મા અને અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસના અવસર પર સગાઈ કરી લીધી. કરિશ્મા અને અભિષેકના લગ્નની માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ હજારો ચાહકો રાહ જોઈ રહ્યા હતા.

Abhishek Karisma Breakup: આ બે શરતો ભારે પડી, નહીં તો કરિશ્મા કપૂર અભિષેક બચ્ચનની પત્ની હોત!

Abhishek Bachchan Karisma Kapoor Breakup: અમિતાભ બચ્ચનને બોલીવુડના શહેનશાહ, ભારતીય હિન્દી સિનેમાના મહાનાયક કહેવામાં આવે છે. હવે આટલા મોટા સુપરસ્ટાર મિલેનિયમ સ્ટાર અને મેગા સ્ટારના ઘરે વહુ બનીને જવાનો મોકે મળે તો કોને ન ગમે. એમનો એકનો એક દિકરો અભિષેક બચ્ચન છે. જેની સાથે લગ્ન કરવા માટે એક સમયે રાની મુખરજી, પ્રીતિ ઝિંન્ટા અને પ્રિયંકા ચોપડા સહિતની હીરોઈનો લાઈન લગાવતી હતી. જોકે, એ દરમિયાન જ કરિશ્મા કપૂર સાથે તેમનુ અફેર ચાલતુ હતુ. બન્નેના લગ્નની વાત ઓલમોસ્ટ નક્કી હતી પણ કોણ જાણે શું થયું કે સમગ્ર મામલો ડોહડાઈ ગયો. જાણો શું હતું અભિષેક અને કરિશ્માના બ્રેકઅપનું કારણ....

કરિશ્મા કપૂરનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. કરિશ્માને ફિલ્મોમાં સફળતા ચોક્કસ મળી હતી, પરંતુ અંગત જીવનમાં અભિનેત્રીએ ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. હા, એક સમયે બચ્ચન પરિવારમાં કરિશ્મા કપૂરના સંબંધો નિશ્ચિત હતા. અમિતાભ બચ્ચનના 60માં જન્મદિવસના અવસર પર કરિશ્મા અને અભિષેક બચ્ચને સગાઈ કરી હતી. કરિશ્મા અને અભિષેકના લગ્ન એટલે કે કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર એક થશે તેની માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ હજારો કરોડો ચાહકો રાહ જોઈ રહ્યા હતા. જો કે, આ પ્રતીક્ષા માત્ર રાહ જ રહી કારણ કે આ લગ્ન ક્યારેય થઈ શક્યા નથી. આખરે એવું કયું કારણ હતું જેના કારણે કરિશ્મા અને અભિષેકના લગ્ન સ્થળ પર જ તૂટી ગયા, આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બે શરતોએ આખી રમત બગાડી નાખી-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા અને અભિષેક પણ એકબીજાને પસંદ કરતા હતા અને તેમના લગ્નની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ હતી. જો કે, બંને પરિવારો વચ્ચે થોડી વાતચીત બાદ સમગ્ર મામલો વધુ વણસી ગયો હતો. વાસ્તવમાં, કરિશ્માની માતા બબીતા ​​ઈચ્છતી હતી કે બચ્ચન પરિવાર તેમની મિલકતનો એક હિસ્સો અભિષેક બચ્ચનને આપે જેથી તેની પુત્રીને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો કે, બચ્ચન પરિવાર બબીતાની માંગ સ્વીકારવા તૈયાર નહોતો. તે જ સમયે અભિષેકની માતા જયા બચ્ચને પણ લગ્ન પહેલા એક શરત મૂકી હતી. શરત એ હતી કે કરિશ્મા લગ્ન પછી ફિલ્મોમાં કામ નહીં કરે. કહેવાય છે કે આ વાત કરિશ્માને સ્વીકાર્ય નહોતી. જોકે, જો રિપોર્ટ્સનું માનીએ તો, આ શરતોને કારણે કરિશ્મા અને અભિષેકના લગ્ન મુશ્કેલીમાં આવી ગયા હતા.

આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા-
આપને જણાવી દઈએ કે કરિશ્માએ વર્ષ 2003માં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ કરિશ્મા અને સંજય વચ્ચે તણાવ એટલો વધવા લાગ્યો હતો કે 2016માં બંને છૂટાછેડા લીધા બાદ એકબીજાથી અલગ થઈ ગયા હતા. તે જ સમયે અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news