આસામ બાદ અક્ષય કુમારે કરી બિહારના પૂર પીડિતોની મદદ, દાન કર્યાં 1 કરોડ

થોડા સમય પહેલા અક્ષય કુમારે આસામના પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ દાન કર્યં હતા અને હવે તેમણે બિહારના પૂર પીડિતો માટે 1 કરોડ દાન કર્યાં છે. તે છઠ પૂજાના અવસર પર 25 પીડિત પરિવારને 4-4 લાખ રૂપિયા આપશે. 
 

આસામ બાદ અક્ષય કુમારે કરી બિહારના પૂર પીડિતોની મદદ, દાન કર્યાં 1 કરોડ

નવી દિલ્હીઃ અક્ષય કુમાર બોલીવુડના તે ગણનાપાત્ર સ્ટાર્સમાથી એક છે જે જરૂર પડવા પર હંમેશા લોકોની મદદ માટે આગળ આવે છે. જ્યાં થોડા સમય પહેલા તેણે આસામના પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ રૂપિયા દાન કર્યો, તો હવે તેણે બિહારના પૂર પીડિતો માટે પણ કંઇક આવું કર્યું છે. 

અક્ષયે હાલમાં આસામ સિવાય બિહારમાં આવેલા પૂર દરમિયાન પ્રભાવિત થયેલા પરિવારોની મદદ માટે 1 કરોડ રૂપિયા દાન કર્યાં છે. આ રકમથી આશરે 25 પરિવારોની મદદ કરવામાં આવશે. અક્ષય છઠ પૂજાના અવસર પર આ પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક આપત્તીઓ આપણને તે અનુભવ કરાવે છે કે તેની આગળ આપણે કશું નથી. તેમણે આગળ કહ્યું કે, જે મદદ થાય તે કરવી જોઈએ. જે લોકો પોતાનું બધુ ગુમાવી ચુક્યા છે તેની મદદ કરવાથી મોટુ બીજુ કંઇ ન હોઈ શકે. આ મદદના માધ્યમથી તે લોકો પોતાની જિંદગી બીજીવાર શરૂ કરી શકે છે. 

બિહારમાં આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. તેની રોજગારી છિનવાઇ ગઈ, બેઘર થઈ ગયા. એક સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. તેની મદદ માટે સીએમ નીતીશ કુમારે જ્યાં 136.58 કરોડની સહાયતા રકમ આવી, તો કેન્દ્ર સરકારે પણ પૂર પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું હતું. 

અક્ષયની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તેની ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થઈ છે. આ ફિલ્મએ પ્રથમ દિવસે કુલ 18.50 કરોડ, બીજા દિવસે 18 કરોડસ ત્રીજા દિવસે 14.25 કરોડ રૂપિયા કમાયા હતા. તો ચોથા દિવસે ફિલ્મએ લગભગ 34.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રમાણે ફિલ્મ ચાર દિવસમાં કુલ 85 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news