Sunny Deol: ગદર 2 પછી સની દેઓલની કિસ્મતે મારી પલટી, આ ખાસ રોલ માટે ઓફર થયા 45 કરોડ રૂપિયા

Sunny Deol: એક ફિલ્મ એક્ટરના જીવનને બદલી પણ શકે છે. આ વાત સાબિત થઈ છે સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ થી. ફિલ્મી કારકિર્દીમાં વર્ષો પછી સની દેઓલે બ્લોકબસ્ટર ફિલ્મ સાથે કમબેક કર્યું છે. 11 ઓગસ્ટ રિલીઝ થયેલી ગદર ટુ એ કમાણી ના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સની દેઓલની કિસ્મત પણ બદલી દીધી છે.

Sunny Deol: ગદર 2 પછી સની દેઓલની કિસ્મતે મારી પલટી, આ ખાસ રોલ માટે ઓફર થયા 45 કરોડ રૂપિયા

Sunny Deol: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દરેક ફિલ્મી સિતારાને તેની કારકિર્દી દરમિયાન ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. એક ફિલ્મ એક્ટરના જીવનને બદલી પણ શકે છે. આ વાત સાબિત થઈ છે સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ થી. ફિલ્મી કારકિર્દીમાં વર્ષો પછી સની દેઓલે બ્લોકબસ્ટર ફિલ્મ સાથે કમબેક કર્યું છે. 11 ઓગસ્ટ રિલીઝ થયેલી ગદર ટુ એ કમાણી ના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સની દેઓલની કિસ્મત પણ બદલી દીધી છે.

ગદર ટુની સફળતા પછી સની દેઓલને ફરી એકવાર ફિલ્મો ઓફર થવા લાગી છે. તેવામાં ચર્ચાઓ એવી પણ છે કે એક ફિલ્મ માટે તેમને 45 કરોડ રૂપિયાની ફીની ઓફર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્દેશક નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણમાં સની દેઓલને હનુમાનના રોલ માટે 45 કરોડની ઓફર કરવામાં આવી છે.

આ પણ વાંચો:

ચર્ચાઓ એવી પણ છે કે સની દેઓલ આ રોલને લઈને ઉત્સાહિત પણ છે તે ફિલ્મી પડદે ભગવાન હનુમાનનું પાત્ર ભજવવાની મોટી જવાબદારી લેવા તૈયાર પણ છે. ખબર એવી પણ સામે આવી છે કે રામાયણની શૂટિંગ દરમિયાન સની દેઓલ અન્ય કોઈ પ્રોજેક્ટ હાથમાં નહીં લે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન આ પાત્ર પર જ આપશે. શૂટિંગ પહેલા તે હનુમાનજીનો રોલ ભજવવા માટે પોતાની ફિટનેસ પર કામ કરશે. ટૂંકમાં કહીએ તો 45 કરોડની આ ડીલ લગભગ ફાઈનલ થઇ ચૂકી છે. 

આ ફિલ્મ ઉપરાંત સની દેઓલને એક અન્ય ફિલ્મ માટે 75 કરોડ રૂપિયાની ઓફર પણ મળી છે. આ એક એક્શન ફિલ્મ હશે જેના ઉપર વાતચીત ચાલી રહી છે. ગદર ટુ ની સફળતા પછી સની દેઓલની કિસ્મત પલટી મારી ચૂકી છે એક પછી એક તેની પાસે બેસ્ટ ફિલ્મોની ઓફર આવવા લાગી છે. આ બે ફિલ્મ ઉપરાંત ભૂષણ કુમાર અને નિધિ દત્તા સાથે બોડર ટુ માટે સની દેઓલની 50 કરોડની ડીલ ફાઈનલ થઇ છે. 

જોકે હાલ તો સની દેઓલના ચાહકો એ વાતથી ઉત્સાહિત છે કે રામાયણમાં સની દેઓલ હનુમાનજી બનશે. આ ફિલ્મ નિતેશ તિવારી નો ડ્રીંક પ્રોજેક્ટ છે. ચર્ચાઓ એવી છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાંઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. જોકે આ બધી જ ખબરો અંગે ઓફિસિયલ અનાઉન્સમેન્ટ હજુ સુધી કરવામાં આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news