સુશાંતના મોત પર Farhan Akhtar એ કર્યુ ટ્વીટ, 'ગીધ ભેગા થઈ રહ્યા, મગર આસુ વહાવી રહ્યા' છે


અભિનેતા તથા ગાયક ફરહાન અખ્તર (Farhan Akhtar)એ સુશાંત સિંહ રાજપૂતે યાદ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે. 
 

  સુશાંતના મોત પર  Farhan Akhtar એ કર્યુ ટ્વીટ, 'ગીધ ભેગા થઈ રહ્યા, મગર આસુ વહાવી રહ્યા' છે

નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) હવે આપણી વચ્ચે રહ્યો નથી. તેણે પાછલા રવિવારે પોતાના ઘરે ગળે ફાંસો કાઈ આપઘાત કરી લીધો હતો. તે માત્ર 34 વર્ષનો હતો. સુશાંતના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. એક તરફ જ્યાં સુશાંતના નિધનથી બોલીવુડ શોકમાં છે, તો બીજીતરફ સોશિયલ મીડિયા પર #bycottkarnjohrgangmovie, 
#bollywoodnepotism જેવા ટ્રેન્ડ પણ ટોપ લિસ્ટમાં ચાલી રહ્યાં હતા. યૂઝર નેપોટિઝ્મને લઈને સ્ટાર કિડ્સને સાચુ-ખોટુ સંભળાવી રહ્યાં છે. 

તેવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ ટીકા થઈ રહી છે. બોલીવુડ સાથે જોડાયેલા લોકો પણ વોતાની વાત રાખી રહ્યાં છે. આ કડીમાં અભિનેતા તથા સિંગર ફરહાન અખ્તર (Farhan Akhtar)એ સુશાંતને યાદ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટર પર કવિતા લખી સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે અંગ્રેજીમાં સુશાંત માટે કેટલીક લાઇન લખી છે, જે આ પ્રકારે છે. 

RIP Sushant. ❤️

— Farhan Akhtar (@FarOutAkhtar) June 16, 2020

મહત્વનું છે કે, સોમવારે મુંબઈના વિલે પાર્લેમાં સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન ભારે વરસાદમાં પણ સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરનાર એક્ટર અને મિત્રો તેને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. જેમાં રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર અને વરૂણ શર્મા સહિત બોલીવુડના ઘણા સેલિબ્રિટી સામેલ હતા. તો સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને બોલીવુડના ઘણા દિગ્ગજ સતત સુશાંતની યાદમાં પોસ્ટ પણ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news