હવે નહીં બને રણબીર-સંજયની શમશેરા? કારણ કે....

રણબીર કપૂર અને સંજય દત્તની મલ્ટીસ્ટારર ફિલ્મ શમશેરાનો ફર્સ્ટ લુક ગયા વર્ષે જ સામે આવી ગયો હતો

હવે નહીં બને રણબીર-સંજયની શમશેરા? કારણ કે....

મુંબઈ : રણબીર કપૂર અને સંજય દત્તની મલ્ટીસ્ટારર ફિલ્મ શમશેરાનો ફર્સ્ટ લુક ગયા વર્ષે જ સામે આવી ગયો હતો. આ ફિલ્મને 2020માં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. જોકે આ સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું છે અને એનું મોટું કારણ છે રણબીર અને સંજયની તારીખો મળવામાં સમસ્યા. 

હાલમાં રણબીર પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં તેમજ સંજય દત્ત ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરની પાનીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં શમશેરાના શૂટિંગમાં સમસ્યા ઉભી થઈ શકે છે. આ ફિલ્મ માટે મેકર્સે લાખો રૂપિયાનો ખર્ચો કરીને ભવ્ય સેટ બનાવડાવ્યો હતો પણ એના પર હજી 10 દિવસનું જ શૂટિંગ થયું છે. 

રિપોર્ટ પ્રમાણે આ સેટ પર એક ગીતનું જ શૂટિંગ થયું છે. આ પછી પાંચ મહિનાથી કોઈ પ્રોડક્શન થયું નથી. હકીકતમાં સંજય અને રણબીરની તારીખો ન મળવાને કારણે શૂટિંગ અટવાઈ ગયું છે. આ ફિલ્મ માટે જે સેટ બનાવાયો છે એની રોજની કિંમત 40,000 રૂપિયા છે અને હાલમાં આ પૈસાનો બગાડ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news