TMKOC: 'અસિત મોદી અમારી સાથે કુતરા જેવો વ્યવહાર કરતા', હવે 'તારક મહેતા'ની 'બાવરી' એ પણ ખોલ્યો મોરચો

Monika Bhadoriya Jennifer Mistry Bansiwal: મોનિકા ભદોરિયા 'તારક મહેતા'માં બાવરીનો રોલ કરી રહી હતી. પરંતુ તેણે 2019માં શોને અલવિદા કહ્યું. મોનિકા ભદોરિયાએ આ નવા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે મેકર્સે ત્રણ મહિનાથી તેના લેણાં ચૂકવ્યા નથી. તેના પર હજુ પણ મેકર્સના 4 થી 5 લાખ રૂપિયા બાકી છે.

TMKOC: 'અસિત મોદી અમારી સાથે કુતરા જેવો વ્યવહાર કરતા', હવે 'તારક મહેતા'ની 'બાવરી' એ પણ ખોલ્યો મોરચો

Taarak Mehta Ka Ooltah Chashmah: જેનિફર મિસ્ત્રી બંસીવાલ બાદ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બાવરી એટલે કે મોનિકા ભદોરિયાએ અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. મોનિકાએ જણાવ્યું કે સેટ પર નરક જેવો માહોલ છે અને કેટલી ગુંડાગીરી છે. મોનિકાએ કહ્યું કે અસિત મોદી પોતાને 'ભગવાન' કહે છે.

'મિસિસ સોઢી' એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલ પછી હવે વધુ એક અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. જ્યારે 'શ્રીમતી સોઢી'એ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, ત્યારે મોનિકા ભદૌરિયાએ શોના સેટ પર તેણીએ જે ત્રાસ સહન કર્યો હતો તે વિશે વાત કરી હતી. મોનિકા ભદોરિયાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તારક મહેતા'ના સેટ પર કામ કરવાનું વાતાવરણ નરક જેવું હતું. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે ત્યાં કલાકારો સાથે કૂતરા જેવો વ્યવહાર કરવામાં આવે છે.

મોનિકા ભદોરિયા 'તારક મહેતા'માં બાવરીનો રોલ કરી રહી હતી. પરંતુ તેણે 2019માં શોને અલવિદા કહ્યું. મોનિકા ભદોરિયાએ આ નવા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે મેકર્સે ત્રણ મહિનાથી તેના લેણાં ચૂકવ્યા નથી. તેના પર હજુ પણ મેકર્સના 4 થી 5 લાખ રૂપિયા બાકી છે.

મેકર્સે હજુ સુધી બાકી નાણાં આપ્યા નથી
મોનિકા ભદોરિયાએ એક ડિજિટલ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, કે 'મેં મેકર્સ સાથે પૈસાને લઈને એક વર્ષ સુધી લડાઈ કરી. તેઓએ દરેક કલાકારના પૈસા રોકી રાખ્યા છે. રાજ અનડકટ હોય કે ગુરચરણ સિંહ. માત્ર ત્રાસ માટે પૈસા રોકી દેવામાં આવે છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી.

સેટ પર નરક જેવું જીવન, સાથ ન આપ્યો
મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે 'તારક મહેતા'ના સેટ પર જીવન 'નરક' જેવું હતું. મોનિકાની માતા કેન્સરની સારવાર લઈ રહી હતી, પરંતુ મેકર્સે તેને બિલકુલ સાથ આપ્યો ન હતો. તેણીએ કહ્યું, 'હું હોસ્પિટલમાં રાત પસાર કરતી હતી અને તે મને શૂટ માટે વહેલી સવારે ફોન કરતો હતો. જ્યારે હું કહેતી હતી કે હું આવવાની સ્થિતિમાં નથી ત્યારે પણ તે મને શૂટિંગ માટે આવવા દબાણ કરતા હતા. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટિંગ પર આવ્યા પછી મારે રાહ જોવી પડતી હતી. મારું ત્યાં બિલકુલ કામ નહોતું.

ધમકાવવામાં આવતા- પૈસા આપીએ છીએ તો અમારે જ્યારે જોઈએ ત્યારે ઊભા રહેવું પડશે
મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે જ્યારે તેની માતાનું નિધન થયું ત્યારે નિર્માતા અસિત મોદીએ તેને ફોન પણ કર્યો ન હતો. તેણે કહ્યું 'હું આઘાતમાં હતી, પરંતુ તેમણે મને મારી માતાના મૃત્યુના સાત દિવસ પછી જ ફોન કર્યો અને મને સેટ પર રિપોર્ટ કરવા કહ્યું. જ્યારે મેં કહ્યું કે મારી તબિયત સારી નથી, ત્યારે તેમની ટીમે કહ્યું, 'અમે તમને પૈસા આપીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે તમને કહેવામાં આવે ત્યારે ઊભા રહો'. ભલે તમારી માતા દાખલ હોય કે અન્ય કોઈ. મારી પાસે કોઈ વિકલ્પ ન હોવાથી હું સેટ પર ગઈ અને હું દરરોજ રડતી હતી. તેના ઉપર તેઓ ત્રાસ અને ગેરવર્તન કરતા હતા. તે મને કોલ ટાઈમના એક કલાક પહેલા સેટ પર બોલાવતા હતા. તેમના સેટ પર ખૂબ ગુંડાગીરી છે. અસિત મોદી કહે છે કે હું ભગવાન છું.

કોઈએ વિરુદ્ધ ના બોલે એટલે કરાર સાઈન કરાવતા 
આ સાંભળીને મોનિકા ભદોરિયાએ અસિત મોદીને કહ્યું, 'હું એવી જગ્યાએ કામ કરવા માંગતી નથી, જ્યાં કામ કર્યા પછી તમને આત્મહત્યા કરવાનું મન થાય. જે પણ આવે છે તે અસંસ્કારી વાત કરે છે. સોહેલ એકદમ અસંસ્કારી વાત કરે છે. મોનિકા ભદોરિયાએ વધુમાં કહ્યું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની વર્તમાન કાસ્ટ એટલે કે જેઓ શોમાં છે તેઓ બોલશે નહીં. મોનિકાએ કહ્યું કે અસિત મોદીએ તેમને એક કોન્ટ્રાક્ટ સાઈન પણ કરાવ્યો હતો કે તે મીડિયામાં તેમની વિરુદ્ધ કંઈ ખોટું નહીં બોલે. જ્યારે અન્ય લોકો શો છોડી ગયા ત્યારે જેનિફર મિસ્ત્રી પણ બોલી ન હતી. જ્યારે તેણીની સાથે આ વસ્તુઓ થઈ ત્યારે તે બોલતી હતી. દરેકે પોતાની નોકરી બચાવવાની છે. જેટલો ત્રાસ તેણે કર્યો છે તેટલો કોઈએ કર્યો નથી.

'નટુ કાકા' સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો
મોનિકા ભદોરિયાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાઈન કરી ત્યારે તેને દર મહિને 30,000 રૂપિયા મળતા હતા. તેમણે કહ્યું હતું કે તે 6 મહિના પછી પગારમાં વધારો કરશે. પરંતુ તેમણે ક્યારેય પગાર વધાર્યો નથી. આ વિશે મોનિકા ભદોરિયાએ કહ્યું, 'તેઓ પૈસાની બેઈમાની કરે છે. ખરેખર તેઓ કૂતરાની જેમ વર્તે છે. તેમણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. અને તેમનો ઈપી સોહેલ રામાણી બહુ ઘટીયા માણસ છે. તે ખૂબ જ અસંસ્કારી છે તેણે નટુ કાકાને પણ ગાળો આપી હતી.

માલવ રાઝદાએ પણ જેનિફરને સપોર્ટ કર્યો હતો
જાણવા મળે છે કે મોનિકા ભદોરિયા સિવાય 'તારક મહેતા'ના પૂર્વ નિર્દેશક માલવ રાઝદાએ પણ જેનિફર મિસ્ત્રી બંસીવાલનું સમર્થન કર્યું છે. જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને અસિત મોદી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જેનિફરે અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જો કે, અસિત મોદીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને ઊલટું જેનિફર પર સેટ પર મોડા આવવાનો અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news