Tunisha Sharma Case: તુનિષા કેસમાં માતાએ શીઝાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કઈ રીતે પુત્રી દગાનો ભોગ બની તે જણાવ્યું

Tunisha-Sheezan Breakup: તુનિષા શર્મા આત્મહત્યા કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. આ બધા વચ્ચે તુનિષા શર્મા કેસમાં અભિનેતા શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી છે. બીજી બાજુ તુનિષા શર્માની માતા વનિતા શર્માએ તેમની પુત્રી સાથે ટીવી શોમાં કામ કરનારા અને આ કેસમાં ધરપકડ કરાયેલા શીઝાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

Tunisha Sharma Case: તુનિષા કેસમાં માતાએ શીઝાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કઈ રીતે પુત્રી દગાનો ભોગ બની તે જણાવ્યું

Tunisha-Sheezan Breakup: તુનિષા શર્મા આત્મહત્યા કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. આ બધા વચ્ચે તુનિષા શર્મા કેસમાં અભિનેતા શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી છે. બીજી બાજુ તુનિષા શર્માની માતા વનિતા શર્માએ તેમની પુત્રી સાથે ટીવી શોમાં કામ કરનારા અને આ કેસમાં ધરપકડ કરાયેલા શીઝાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુનિષાની માતાએ કહ્યું કે શીઝાને તુનિષાને દગો કર્યો છે. શીઝાને તેમની પુત્રીને 3-4 મહિના સુધી યૂઝ કરી. શીઝાને તુનિષાને લગ્નનું વચન પણ આપ્યું હતું. બ્રેકઅપ કરીને શીઝાને તુનિષાને દગો કર્યો. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ પૂછપરછ દરમિયાન શીઝાન કબૂલી ચૂક્યો છે કે તે અને તુનિષા રિલેશનશીપમાં હતા. 

શીઝાને તુનિષાને દગો કર્યો
તુનિષાની માતાએ કહ્યું કે શીઝાને તેમની પુત્રીને દગો કર્યો. શીઝાને પહેલા તુનિષા સાથે રિલેશનશીપ બનાવી ત્યારબાદ લગ્નનું વચન આપીને તુનિષા સાથે બ્રેકઅપ કર્યું. તેનું કોઈ બીજી છોકરી સાથે અફેર હતું આમ છતાં શીઝાને તુનિષાને પોતાની સાથે ઈનવોલ્વ રાખી. 3-4 મહિના તેને યૂઝ કરી. 

તુનિષાની માતાએ શીઝાનને સજા અપાવવાની માંગ કરી
અત્રે જણાવવાનું કે તુનિષા શર્માની માતા વનિતાએ શીઝાન માટે કડક સજાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે હું બસ એટલું કહેવા માંગુ છું કે શીઝાનને સજા મળવી જોઈએ. તેનો છોડશો નહીં. મારી છોકરી જતી રહી છે. 

— ANI (@ANI) December 26, 2022

અત્રે જણાવવાનું કે તુનિષાના પરિજનો તરફથી શીઝાન પર અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તુનિષાના પરિજનોનું કહેવું છે કે શીઝાન તરફથી બ્રેકઅપ કરાયા બાદ તુનિષાને એન્ઝાઈટી એટેક આવ્યો હતો. ત્યારબાદ સ્થિતિ એવી થઈ ગઈ કે તુનિષાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અત્રે જણાવવાનું કે શનિવારે અભિનેત્રી તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. અને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ શીઝાન પર લાગ્યો છે. 

પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો
બીજી બાજુ ધરપકડ કરાયેલા શીઝાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ શીઝાન ખાને પોલીસને જે નિવેદન આપ્યું છે તેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેમના વચ્ચે બ્રેકઅપ કેમ થયું હુતં. શીઝાને પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું કે બંને કલાકાર એક બીજા સાથે રિલેશનશીપમાં હતા એ સાચું છે. 

તુનિષા કેસમાં આરોપી શીઝાન મોહમ્મદ ખાને જણાવ્યું કે બંને અલગ અલગ ધર્મ સાથે સંબંધ ધરાવતા હતા અને તેમની ઉંમરમાં પણ મોટું અંતર હતું. આ જ કારણે શીઝાને તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધુ. જો કે પોલીસને શીઝાનની વાત પર વિશ્વાસ નથી. વાત જાણે એમ છે કે શીઝાન પર અભિનેત્રીના પરિવારજનો એક સાથે અનેક યુવતીઓ સાથે સંબંધ રાખવાનો અને દગો કરવાનો આરોપ લગાવી રહ્યા છે. એવી આશંકા છે કે શીઝાને તેનાથી બચવા માટે ઉંમર અને ધર્મની વાત કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news