Corona: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર! મહિનાઓ બાદ નોંધાયા સૌથી વધુ કેસ, બેના મોત

ઓમિક્રોનની એન્ટ્રી બાદ દેશમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વધી ગઈ છે. આ વચ્ચે ગુજરાતમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

Corona: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર! મહિનાઓ બાદ નોંધાયા સૌથી વધુ કેસ, બેના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 828794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 10, રાજકોટ જિલ્લામાં 15, વલસાડમાં 6, જામનગર શહેરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા અને વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, આણંદ, તાપી, અમરેલીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકા અને સુરત શહેરમાં એક-એક વ્યક્તિનું નિધન થયું છે. 

રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો
ગુજરાતમાં નવા આંકડા બાદ એક્ટિવ કેસ 637 થઈ ગયા છે, જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 818051 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.70 ટકા છે. 

રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 1 લાખ 82 હજાર 360 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં 8 કરોડ 75 લાખ 1 હજાર 402 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news