ઘોર કળિયુગ! પુત્ર પ્રાપ્તીની ઘેલછામાં આંધળા થયેલા પિતાએ 5 માસની પુત્રીનું ગળું દબાવી હત્યા

કુરેશાબાનુ પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવારમાં હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપીને ગઈ હતી. ત્યારે બાળકી એ રડવા નું શરુ કર્યું હતું પણ બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મોઢું અને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.

ઘોર કળિયુગ! પુત્ર પ્રાપ્તીની ઘેલછામાં આંધળા થયેલા પિતાએ 5 માસની પુત્રીનું ગળું દબાવી હત્યા

ઉદય રંજન/અમદાવાદ: પુત્ર પ્રાપ્તીની ઘેલછામાં આંધળા થયેલા પિતાએ 5 માસની પુત્રીની હત્યા કરી નાખી હતી. પત્ની બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી, પરત આવીને જોતા પુત્રી મૃત હતી. જે અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.

શહેર કોટડા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીનું નામ અંસાર અહેમદ અન્સારી છે. આરોપીએ પોતાની જ પાંચ માસની દીકરી ઈકરાનુરની મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાખી છે. જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ આસપાસના લોકો જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે બાળકી ને મૃત જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ ના વિગતો ની વાત કરવા માં આવે તો ગઈ તારીખ 28મી ફેબ્રુઆરી ના રોજ ફરિયાદી કુરેશાબાનુ પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવારમાં હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપીને ગઈ હતી. ત્યારે બાળકી એ રડવા નું શરુ કર્યું હતું પણ બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મોઢું અને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવી ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અને તેના પતિને પોલીસ એ પકડી રાખ્યો હતો.. ત્યા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતાં.. કુરેશાબાનુએ પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી એ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે લગ્ન બાદ પતિને દીકરા નો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારજુડ કરતો હતો. સાથે જ પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો જેના કારણે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ હતી. ત્યારે સવાલ એ છે કે, દિકરી નો અણગમો એટલી હદે વધ્યો કે પિતા પોતાની જ પુત્રીનો હત્યારો બન્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news