ડૂબતી નૈયા બની કોંગ્રેસ... દિનેશ શર્માએ રાજીનામુ આપતા કહ્યું, અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસને ડૂબાડે છે 

ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. એક પછી એક નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક દિગ્ગજ નેતાનુ નામ સામે આવ્યુ છે. અમદાવાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયુ છે. જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામુ આપશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ડૂબતી નૈયા બની કોંગ્રેસ... દિનેશ શર્માએ રાજીનામુ આપતા કહ્યું, અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસને ડૂબાડે છે 

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. એક પછી એક નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક દિગ્ગજ નેતાનુ નામ સામે આવ્યુ છે. અમદાવાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયુ છે. જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામુ આપશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. પોતાને પ્રાધાન્ય મળતુ ન હોવાની ફરિયાદ સાથે નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. લકાડુ અને આક્રમક મિજાજ ધરાવતા નેતાઓ પણ કોંગ્રેસ છોડવાની ફિરાકમાં છે. ત્યારે આ લિસ્ટમાં દિનેશ શર્માનું નામ જોડાયુ છે. દિનેશ શર્મા અગાઉ વારંવાર પક્ષ સામે નારાજગી દર્શાવી ચૂક્યા છે. 

દિનેશ શર્માએ રાજીનામુ આપ્યું 
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું. 

રઘુ શર્મા વેપાર કરવા ગુજરાત આવ્યા - દિનેશ શર્મા 
રાજીનામુ આપ્યા બાદ તેમણે પહેલી પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા તેમને ગુજરાતના પ્રભાર આપ્યો છે તે કોંગ્રેસનુ શાસન આવે તેના માટે આપ્યો છે કે વેપાર કરવા આપ્યો છે. આ રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં જિલ્લે જિલ્લે એજન્સી પ્રથા શરૂ કરી છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, અને જો તેમને મળ્યો હોત તો તેમના નવ રત્ન ગુજરાતમાં સારુ કામ કરે છે તેવુ ખોટુ કહેવુ પડ્યુ હોત. તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહિ. 

હોદ્દો નથી છતા કોર્પોરેશનના લેટર પેડનો ઉપયોગ
Amc પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. ત્યારે તેમનો કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર સામે આવ્યો છે. પરંતુ રાજીનામાના પત્રની કાયદેસરતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. રાજીનામાં માટે amc વિપક્ષી નેતાના લેટરપેડનો ઉપયોગ કરાયો છે. હાલ દિનેશ શર્મા કોર્પોરેટર પણ ન હોવાથી તેઓ આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકે. તેમણે રાજીનામુ આપવા માટે કોર્પોરેશનના લેટરપેડનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. રાજીનામાના પત્રમાં વર્ષનો પણ ઉલ્લેખ ખોટો કરાયો છે. 

કોંગ્રેસનો કિલ્લો તૂટવાની શરૂઆત થઈ, વધુ એક દિગ્ગજ નેતા આપી શકે રાજીનામુ

અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા કોંગ્રેસ પાર્ટીથી ભયંકર નારાજ હતા અને તેમણે રાહુલ ગાંધીને મળીને પક્ષમાં ચાલતી ખોટી જોહુકમી અંગે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે, દિનેશ શર્મા સુરતમાં ખાનગી રીતે સીઆર પાટીલને મળ્યા હતા અને તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવી વાત થઈ હતી. આખરે દિનેશ શર્માએ પોતાના પક્ષ સામે શિંગડાં ભરાવ્યાં છે. દિનેશ શર્માએ ટ્વીટ કરીને પ્રિયંકા ગાંધીને રજૂઆત કરી હતી. ઉર્દુ શાયરી લખીને શર્માએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, મુજસે ના હો સકેગા હાકીમ કા અહેતરામ... મેરી જુબાં કે વાસ્તે તાલે ખરીદ લો. એટલે કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ ખોટા નિર્ણયો લેવાનું ચાલુ રાખશે તો મારું મોં બંધ નહીં રહે. તમે તાળાં ખરીદી લો. તો આ મોટા સમાચાર... કોંગ્રસ ફરીથી તૂટી રહી છે. કદાચ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસનો કાફલો વિખેરાઈ જાય તો નવાઈ નહીં. કેમ કે, રોજે રોજ કોંગ્રેસના નેતાઓ ડૂબતી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news