અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, શું પત્નીના આડાસંબંધોએ આખા પરિવારનો ભોગ લીધો?

ahmedabad family murder case : 26 માર્ચના રોજ મરાઠી પરિવારમાં હત્યાકાંડ થયો હતો. વિનોદ મરાઠી તે દિવસથી ગાયબ છે. ત્યારે આખરે વિનોદ ક્યાં ગયો છે પોલીસ માટે પણ કોયડો બન્યો છે. સવાલ એ છે કે, જો વિનોદે પત્નીના આડા સંબંધોમાં હત્યાકાંડ સર્જયો હોય તો તેણે સંતાનોની હત્યા કેમ કરી?

અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, શું પત્નીના આડાસંબંધોએ આખા પરિવારનો ભોગ લીધો?

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાકાંડ કેસમાં મુખ્ય આરોપી વિનોદ મરાઠી હજી સુધી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસે ટીમ બનાવીને વિવિધ દિશામાં દોડાવી છે. આરોપી વિનોદ મરાઠી 24 કલાકથી પોલીસ પકડથી દૂર છે. જોકે, આ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. વિનોદની પત્ની અને મૃતક પરિણીતા કોઈના પ્રેમમાં હોવાનું તપાસમા ખૂલ્યુ છે. આ પ્રેમ પ્રકરણમા સમગ્ર હત્યાકાંડ ખેલાયો છે. પોલીસ કોલ ડિટેઈલ્સના આધારે ચાર લોકોની અટકાયત કરી છે. જોકે, વિનોદે પોતાના બાળકોની હત્યા કેમ કરી તે વાત પરથી હજી પડદો ઉંચકાયો નથી. 

મંગળવારે રાત્રે અમદાવાદના વિરાટનગર વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30 મા એક જ પરિવારના ચાર સદસ્યોની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં જાણવા મળ્યુ કે, લાશ એક જ પરિવારના સોનલ મરાઠી, દિકરો ગણેશ મારીઠી, દીકરી પ્રગતિ મરાઠી અને પત્નીના નાની સુભદ્રાબેન મરાઠીની હતી. સમગ્ર કાંડમાં સોનલ મરાઠીનો પતિ અને ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર હતો. આ ઘટના બાદથી વિનોદ મરાઠી હજી ફરાર છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિનોદને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’

પોલીસે હત્યાકાંડનો ભેદ ઉકેલવા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફંગોળ્યા છે. સાથે જ પોલીસે કોલ ડિટેઈલ્સના આધારા ચાર શખ્સોની અટકાયત કરી છે. જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પ્રેમ પ્રકરણને કારણે હત્યાકાંડ સર્જાયો હોય તેવી શક્યતા છે. ત્યારે પોલીસ હવે એ દિશામાં ઘોડા દોડાવી રહી છે. મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી કે કેમ, તેને આ હત્યા કાંડ સાથે કોઇ લેવા દેવા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ સામૂહિક હત્યા : ચાર દિવસથી લાશ ઘરમા પડી હતી, તો ઘરનો મોભી વિનોદ ક્યાં ફરાર છે?

વિનોદ ક્યાં ગાયબ
26 માર્ચના રોજ મરાઠી પરિવારમાં હત્યાકાંડ થયો હતો. વિનોદ મરાઠી તે દિવસથી ગાયબ છે. ત્યારે આખરે વિનોદ ક્યાં ગયો છે પોલીસ માટે પણ કોયડો બન્યો છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું પણ કહેવાય છે. જેથી પોલીસે તેને શોધવા એક ટીમ મહારાષ્ટ્રમાં પણ દોડાવી છે. જોકે, સવાલ એ છે કે, જો વિનોદે પત્નીના આડા સંબંધોમાં હત્યાકાંડ સર્જયો હોય તો તેણે સંતાનોની હત્યા કેમ કરી. બીજી તરફ, વિનોદની સાસુ અને મૃતક સોનલની માતા પર પોલીસ પૂછપરછમાં ગોળગોળ જવાબો આપી રહી છે. જેથી પોલીસને શંકા ઉપજી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news