'સાપ ભી મર જાયે ઔર લાઠી ભી ન તૂટે': જમીન એવી રીતે વેચી કે પોતાનું નામ ન આવે પણ ખેડૂતો પોતે આરોપી બન્યા

કરોડોની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ભરતસિંહ ચૌહાણ,બળવંતસિંહ ચૌહાણ,દીવાનસિંહ ચૌહાણ અને બળદેવ ભરવાડએ સહિત 11 લોકોએ ભેગા મળી ખેડૂતોની જમીન દસ્તાવેજ કરી ઠગાઇ આચરી છે.

'સાપ ભી મર જાયે ઔર લાઠી ભી ન તૂટે': જમીન એવી રીતે વેચી કે પોતાનું નામ ન આવે પણ ખેડૂતો પોતે આરોપી બન્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: ભુમાફિયા કનું ભરવાડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઇ છે.કરોડોની જમીન પોતાના વેવાઈ સાથે મળીને જમીન દલાલ સાથે દોઢ કરોડની ઠગાઇ આચરી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે.

કરોડોની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ભરતસિંહ ચૌહાણ,બળવંતસિંહ ચૌહાણ,દીવાનસિંહ ચૌહાણ અને બળદેવ ભરવાડએ સહિત 11 લોકોએ ભેગા મળી ખેડૂતોની જમીન દસ્તાવેજ કરી ઠગાઇ આચરી છે.ધટનાની વિગતવાર કર્યે તો પીપળજ સીમમાં આવેલ સર્વે નંબર 67 વાળી જમીનમાં 9 જમીન માલિક પાસેથી ભુમાફિયાએ કનું ભરવાડે વિશ્વાસમાં લઇ 81 લાખ રૂપિયા ચૂકવી તેનાં વેવાઈ આરોપી બળદેવ ભરવાડ નામે બાનાખત અને દસ્તાવેજ કરાઈ દીધો હતો.જે જમીન ખરીદી માટે ફરિયાદી મુસ્તાક પાસેથી 1.50 કરોડ રૂપિયા કનું ભરવાડે લીધા હતા.અને તે જમીન પોતાના વેવાઈ નામે દસ્તાવેજ કરી કરોડોની છેતરપીંડી આચરી હતી.

ભુમાફિયા કનું ભરવાડની મોડ્સ ઓપરેન્ડી પર નજર કરીએ તો દસ્તાવેજ પર કોઈ પણ જગ્યાએ પોતાનું નામ કે સહી કર્યા વિના જમીનોના કૌભાંડ આચરતો હતો.આવી જ રીતે પીપળજ સીમ આવેલ જમીન ફરિયાદી મુસ્તાક પાસેથી દોઢ કરોડ મેળવ્યા હતા અને તેની અવેજમાં 30-30 લાખના પાંચ ચેક મુસ્તાકને આપ્યા હતા અને સાથે જ મુસ્તાક સાથે કનું ભરવાડે એક  સમાધાન કરાર પણ કર્યું હતું.જેમાં કનું ભરવાડ મુસ્તાકને સારી જમીન અપવાશે અથવા તો દોઢ કરોડ રૂપિયાનું સારું વળતર ચૂકવશે.જોકે ચેક રિટર્ન થતાં મામલો પોલીસે સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેની તપાસ બાદ આર્થિક ગુણ નિવારણ શાખાએ ચાર આરોપી ધરપકડ કરી અને ફરાર 7 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ કેસમાં મૂળ જમીન માલિક આરોપી બની ગયા છે અને બે વર્ષના સમય ગાળામાં મુખ્ય આરોપી કનું ભરવાડે જમીન બળદેવ ભરવાડ ,વાસુ દેવ અગ્રવાલ અને મનીષ ઠક્કરના નામે અલગ અલગ સમયએ વેચાણ આપી દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું પરતું ફરિયાદીના રૂપિયા કનું ભરવાડ સહિત જમીન માલિકો પાસે હોવાથી આ ગુનામાં તેમને આરોપી બન્યા છે.પણ ભુમાફિયા કનું ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં 19 જેટલા જમીન કૌભાંડ કેસ નોંધાઇ ચુક્યા છે.ત્યારે જમીન કૌભાંડના કેસમાં કનું ભરવાડ ધરપકડ થતા સેન્ટ્રલ જેલમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news