GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 225 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 225 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,033 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે

GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર

ઝી બ્યુરો, ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જો કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહી છે. દરરોજ કોરોન કેસમાં વધધટ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 36 દર્દીઓ સાજા થયા છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 225 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 225 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,033 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,944 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2022

જો કે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસ અને ડિસ્ચાર્જ દર્દીની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 34 કેસ નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. તેમજ ગીર સોમનાથ, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 24, મહેસાણામાં 2, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 6 અને આણંદમાંથી 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2022

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 34,594 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 658 ને રસીનો પ્રથમ અને 10,484 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 72 ને રસીનો પ્રથમ અને 810 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 15,960 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 572 ને રસીનો પ્રથમ અને 6,398 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 10,99,66,560 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news