આયશાને મરવા મજબૂર કરનાર આરીફની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદની આયશા પોતાના પતિને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની હતી, અને તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના પતિ આરીફ (arif khan) ની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ આયશા આત્મહત્યા કેસ (Ayesha suicide case) મામલે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે, આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ. 
આયશાને મરવા મજબૂર કરનાર આરીફની જામીન અરજી કોર્ટે ફગાવી

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદની આયશા પોતાના પતિને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની હતી, અને તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના પતિ આરીફ (arif khan) ની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ આયશા આત્મહત્યા કેસ (Ayesha suicide case) મામલે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે, આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ. 

અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસમાં હવે મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. આયેશાના પતિ દ્વારા ફરી જામીન અરજી કરી હતી. ગત સપ્તાહે આરોપી પતિ આરીફની જામીન અરજી અંગેનો ચુકાદો અનામત રાખી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરીફનાં જામીન અંગે આયેશેના પતિ અને સરકાર બંન્ને દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી

પીડિત પરિવાર દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી. આયેશાના વકીલ દ્વારા જણાવાયું કે, જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ગુજરાત છોડીને જતો રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તે પુરાવાનો નાશ કરે તેવી પણ શક્યતા છે. જેના કારણે તેને જામીન નહી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આત્મહત્યા પહેલા વીડિયોમાં પતિને દોશી આયેશા દ્વારા ઠેરવવામાં આવ્યો છે. તેવામાં સરકાર અને આયેશા બંન્નેના પરિવાર જામીન ન આપવામાં આવે તેવી અપીલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news