જ્ઞાન સહાયકોની શરૂ થયેલી ભરતીમાં કરેલી આ એક ભૂલ ભારે પડશે, નહિ તો રિજેક્ટ થશે ફોર્મ

Gyan Sahayak Recruitment 2024 : ગુજરાતમાં સરકારી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી, 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે 

જ્ઞાન સહાયકોની શરૂ થયેલી ભરતીમાં કરેલી આ એક ભૂલ ભારે પડશે, નહિ તો રિજેક્ટ થશે ફોર્મ

Government Jobs : રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવનાર છે. માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી કરવામા આવશે. ત્યારે 27 જુલાઈથી અરજી શરૂ થઈ છે. જે માટે છેક 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે. 

રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતીમાં TET-TAT પાસ ઉમેદવારોના વિરોધ સામે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગારધોરણ, લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે. કરાર આધારિત ભરતી માટે 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. 

આ ખાસ ધ્યાન રાખો 
જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે, જ્ઞાન સહાયકની ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરનારા ઉમેદવારને આગામી પાંચ વર્ષ માટેની ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવાર દ્વારા જ્ઞાન સહાયક બનવા માટે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું માલુમ પડશે તો તેને પાંચ વર્ષ સુધી ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉપરાંત બનાવટી દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત નક્કી કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ વૈરિફિકેશન ન કરાવનારા ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરાશે. 

કેટલો પગાર ચૂકવાશે
જ્ઞાન સહાયક માધ્યમિક માટે મહિને 24000 રુપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મહિને 26000 રુપિયાના પગારધોરણની જોગવાઈ છે. 

અરજદારની વયમર્યાદા કેટલી રહેશે
જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ
ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024 સોમવાર છે, જે દિવસે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.

અરજી કરતા પહેલા આ શરતો ખાસ જાણી લેવી 

  • આ કરારની મુદત  ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર  કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે  કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે. 
  • આ કામગીરી માટે  રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.
  • આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમત શિક્ષકોની ભરતી થતાં, અથવા પ્રતિની રજા કે લાંબી ૨જા ૫૨ ગયેલ શિક્ષક પાછા ફરે, અથવા બદલીથી કોઈ શિક્ષક હાજ૨ થયેથી; અગીયાર  માસ માટે, બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર થશે. એટલે કે ૧૧ માસની મુદત પહેલા કોઇ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને ૧૧ માસની મુદત પહેલા છૂટા કરવામાંઆવશે અને તેમણે બજાવેલ ફ૨જના સમય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે.
  • આ જગ્યા માટે નિયત કરવામાં આવેલ કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે. તેમજ શાળા વ્યવસ્થાપન રામિતિ દ્વારા વખતો વખત આપની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી ક૨વાની ૨હેશે. શાળામાં ફરજપાલન માટે નિયત કરેલ સમય પ્રમાણે પૂર્ણકર્ણાલન હાજરી આપવાની રહેશે.
  • આ કરારની અર્વાધ પૂર્ણ થતાં કામગીરી ઉ૫૨ ચાલુ રહેવા/atવીલ કરાર ક૨વા માટેનો કોઈ હકદાવો કરી શકાશે નહી.
  • કરારના સમયગાળા દરમ્યાન અવસાન થાય/એક તરફી કરારનો અંત લાવો તો તમોએ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી ૨કમ તેઓના કુટુંબીજનોને/તમોો મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા અનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.
  • જે તે શાળાના અધિકૃત આચાર્યની ૫૨વાનગી વગર આપ મુખ્યમથક છોડી શકશો નહી. જ્ઞાન સહાયકએ શાળામાં કામકાજનાં દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઇને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ ર્નિંગ સહિતની તમામ પ્રકા૨ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃતિઓ ક૨વાની ૨હેશે.

વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news