ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો; નવા પોઝિટીવ અને એક્ટિવ કેસમાં વધારો, એકનો જીવ લેવાયો

આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1762 પર પહોંચ્યો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1759 દર્દીઓ સ્ટેબલ છે. આજે 307 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. આજે મહેસાણામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો; નવા પોઝિટીવ અને એક્ટિવ કેસમાં વધારો, એકનો જીવ લેવાયો

Gujarat Corona Case Today: ગુજરાતમાં કોરોનાને દૈનિક કેસમાં ફરી વધારો થયો છે. આજે 25 એપ્રિલના રોજ ગુજરાતમાં નવા 244 કોરોના કેસ નોંધાયા છે. આજે લાંબા સમય બાદ ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.00 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે પ્રમાણે છે. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1762 પર પહોંચ્યો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1759 દર્દીઓ સ્ટેબલ છે. આજે 307 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. આજે મહેસાણામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં 1276833 દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11074 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં આજે રોજ નોંધાયેલા કોવિડ 19ના કેસ, મોત, ડિસ્ચાર્જની વિગત નીચે મુજબ છે. આજે અમદાવાદમાં 84, વડોદરામાં 29, સુરતમાં જિલ્લામાં 23, સુરતમાં 20, મહેસાણામાં 18, ગાંધીનગરમાં 12, વડોદરા જિલ્લામાં 9, પાટણમાં 7, વલસાડમાં 4, ભરુચમાં 4, ગાંધીનગરમાં 4, અમરેલીમાં 3, મહીસાગરમાં 3, નવસારીમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, આંણદમાં 2, કચ્છમાં 2, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં જિલ્લામાં 1, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં 1 કેસ નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news