નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ

અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવા લેવાયો નિર્ણય, ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ કરાયા રદ

યોગીન દરજી, ખેડા: અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નડિયાદના સંતરામ મંદિરને બંધ રાખવા તેમજ ગુરુપુર્ણિમાના તમામ કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. નડિયાદનું સંતરામ મંદિર આજથી બંધ કરવામાં આવ્યું છે.

સરકારની ગાઇડલાઇન બાદ મંદિર ભક્તોના દર્શનાર્થે ખુલ્યું હતું. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે મંદિર બંધ કરાયું છે. મંદરિમાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. મંદિરના સત્તાધીશો દ્વારા જાહેરાત કરાઈ છે. સંતરામ ડેરી ખાતે પણ પાદુકા પૂજન અને ગુરૂપૂર્ણિમાં ઉત્સવ બંધ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news