ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં અફવાઓ ફેલાતા સાયબર ક્રાઈમ એક્ટિવ થયું

ધંધુકા (dhandhuka) માં કિશન ભરવાડ (kisan bharvad) ની હત્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમો પર અલગ અલગ ધર્મના લોકો આમને સામને આવી ગયા છે. ત્યારે આવા સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર છે.
ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં અફવાઓ ફેલાતા સાયબર ક્રાઈમ એક્ટિવ થયું

ઉદય રંજન/અમદાવાદ :ધંધુકા (dhandhuka) માં કિશન ભરવાડ (kisan bharvad) ની હત્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમો પર અલગ અલગ ધર્મના લોકો આમને સામને આવી ગયા છે. ત્યારે આવા સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર છે.

ગત 25મી જાન્યુઆરીના ધંધુકામાં ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવકને ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ગણતરીના દિવસોમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હત્યાની તપાસ ગુજરાત એટીએસને સોંપી દેવામાં આવી હતી. જેમાં કિશન ભરવાડની હત્યાના કનેક્શન પાકિસ્તાનના કરાંચી સુધી નીકળ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિરુદ્ધ થયો હતો અને જેમાં સાચા ખોટા મેસેજો પણ ફરતા થયા હતા. લોકોને ઉશ્કેરવા માટે અફવાઓ શરૂ થઈ હતી. ત્યારે આ અફવાના કારણે કોઈ ઉશ્કેરાઈ ન જાય અને ખોટી અફવા ન ફેલાવે એ માટેથી અમદાવાદ સાયબર બ્રાન્ચ પર મેદાને આવી હતી અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવાની શરૂઆત કરી છે. જો કોઈ ધર્મને લઈને ખોટી અફવા ફેલાવશે તો તેના પર કયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

વધુ એક આરોપીની ધરપકડ
કિશન ભરવાડ હત્યા કેસમાં અઝીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતાની ધરપકડ કરાઈ છે. ભાવનહપના ઢસાથી પોલીસે અટકાયત કરીને એએટીએસને સોંપ્યો છે.

અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડના પરિવારને આપ્યા 1 લાખ
ધંધુકા હત્યા મામલે અલ્પેશ ઠાકોર ચચાણા કિશનભાઇના પરિવારજનોને સાંત્વના આપવા આવ્યા હતા. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની ઢીંગલીને આર્શીવાદ
રુપી રૂ. 1 લાખ આપ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news